________________
ઉEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
૫૪૪૪૪
૪૪૪૪૪૪૪૪ મિચ્છાકાર સામાચારી ) # હોય એ વખતે એનો ઉપયોગ નવતત્ત્વના અર્થોમાં હોય એ શક્ય નથી. ઉપર છ અક્ષરોના જુદા જુદા અર્થો આ # બતાવ્યા છે. એ અર્થોમાં ઉપયોગપૂર્વક જ આ મિથ્યાકાર સાચો થાય. હવે એ અર્થોમાં ઉપયોગ તો ત્યારે જ ! 8 આવે જ્યારે અર્થોને જણાવનાર શબ્દો બોલાય. “મિ ચ્છા મિ દુક્કડ” આ અક્ષરો જ એ અર્થોને જણાવનાર છે
છે. માટે આ શબ્દો જ બોલવા જોઈએ. એ જ મિથ્યાકાર સામાચારી કહેવાય. “મારા પાપો નાશ પામો” “જરે ૨ પાપ ઉતમ હો નામો” “પાપોને હું નિદું છું.” વગેરે શબ્દો સારા હોવા છતાં પેલા ૬ અર્થને જણાવનાર છે તો નથી જ. આ શબ્દો બોલતી વખતે છ અર્થોમાં ઉપયોગ શક્ય નથી. માટે મિચ્છા મિ દુક્કડું શબ્દ જ બોલવો છે
પડે. બીજા કોઈપણ શબ્દો ન ચાલે. ભલે એ બીજા શબ્દોથી ભાવ જાગે તો પણ આ મિ.દુ.શબ્દ દ્વારા અને છે એના અર્થમાં ઉપયોગ દ્વારા જે ભાવો જાગે એ તો બીજા શબ્દોથી ન જાગે.
પ્રશ્ન: પણ જેને એ છ અર્થો ન આવડતા હોય એને તો મિ.દુ. શબ્દ કરતાં “ભવોભવના પાપોને મારા છે અંતરથી હું નિંદું છું.” વગેરે શબ્દોમાં જ વધારે ભાવ જાગે છે. તો એણે તો એ શબ્દો જ બોલવા જોઈએ ને? # ઉત્તર : જેને એ છ અર્થો આવડતા નથી એને તો આ મિથ્યાકાર સામાચારી પાળવાનો જ અધિકાર નથી. કે પછી એ ગમે તે બોલે અમને એની સાથે કોઈ નિસ્બત નથી.
હીરાના ધંધામાં એક કરોડ રૂપિયા કમાઈ શકાતા હોય એ વખતે કોઈક કહે કે “મને હીરાનો ધંધો બરાબર આવડતો નથી. હું જો હીરાનો ધંધો કરીશ તો માંડ નાની-મોટી દલાલી કરીને મહિને ૧૦૦૦ કમાઈ શકું એમ જ છું. એને બદલે કાપડનો ધંધો કરું તો મહિને બે હજારની કમાણી થઈ શકે તેમ છે. તો પછી મારે તો કાપડનો
ધંધો જ કરવો ને ?” છે એની વાત સાચી છે. પણ જ્યારે કરોડ રૂ. દર મહિને કમાવવાની વાત હોય ત્યારે પેલો હજાર-બે હજારની છે
ચર્ચા કરે એનો શો અર્થ ? એમ છ અર્થના ઉપયોગપૂર્વક મિ.દુનો પ્રયોગ એ એક કરોડ ગણી નિર્જરા કરાવે છે જ છે. ત્યારે એ અર્થને ન જાણનારા એમ કહે કે “મિ.દુને બદલે બીજું બોલવામાં મને વધુ લાભ થાય છે” તો છે છે એને કહેવું જ પડે કે એમાં તને બે હજાર રૂા. જેટલી નિર્જરા થાય છે. અહીં તો કરોડોની વાત ચાલે છે. તારી છે જ સાથે આ ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી.
વ્યવહારનય : જે આત્માઓ ગુરની વાચના, કુપા વગેરે દ્વારા વિશિષ્ટ ક્ષયોપશમવાળા બન્યા હોય તેઓને તો કોઈપણ વાક્યપ્રયોગ વખતે છ અર્થોમાં ઉપયોગ અને સુંદર પરિણામો હોવા શક્ય જ છે. એટલે તેઓ ગમે છે તે વાક્યપ્રયોગ કરે તેનો કોઈ વાંધો નથી. હા, તેઓ શાસ્ત્રાનુસારી મિ.દુ. પ્રયોગ જ કરે તો વધુ સારું. પણ બીજા પ્રયોગ ન જ કરી શકે એવો આગ્રહ ખોટો છે.
જેઓને છ અર્થો આત્મસાત્ ન થયા હોય તેઓ પણ આ સામાચારીના હકદાર છે જ. તેઓ પોતાની રુચિ 8 પ્રમાણે તે તે વાક્યો બોલી શુભભાવોથી ભાવિત બની શકે છે. હા, એમને લાભ ઓછો થવાનો. પણ કરોડ ન કમાઈ શકીએ એટલે બે હજારનો ધંધો પણ ન કરાય એવો તો નિયમ નથી. શિષ્ય : આ બે નયમાંથી સાચું શું માનવું ?
ગુરુઃ બે ય સાચા છે. સાચી હકીકત એ જ છે કે છ અર્થોમાં ઉપયોગપૂર્વક મિ.દુ. શબ્દ બોલવો એ જ છે વધુ નિર્જરાકારી છે. પણ જ્યાં સુધી એવી પરિપક્વતા ન આવે ત્યાં સુધી દરેક જણ પોતપોતાની રુચિ પ્રમાણે તે તે શબ્દપ્રયોગ દ્વારા ઓછી-વત્તી નિર્જરા મેળવી લે એ યોગ્ય જ છે.
આ વચ્ચે થોડી અઘરી ચર્ચા આવી ગઈ. ચાલો, મૂળ વાત પર આવીએ.
HEHEHEHEHEHEHE
EEEEEEEE
EEEEEEEEE
FEEEEEEEE
EECE
સંચમ રંગ લાગ્યો - મિચ્છાકાર સામાચારી - ૨૪૪