Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 250
________________ gggggggggg ષ ઈચ્છાકાર સામાચારી ) ન કરે. ઝેર એ જીવનનો નાશ કરનારું હોવા છતાં અમુક પ્રકારની ઔષધિઓ સાથે મિશ્રણ પામેલું ઝેર મોત 8 8 લાવવાને બદલે રોગો દૂર કરવાનું કામ કરે છે. એમ કષાયો આત્માને દુર્ગતિમાં ધકેલનારા હોવા છતાં શુભભાવોથી કરાતા આ રાગ અને દ્વેષ (કષાયો) છે દુર્ગતિ આપવાને બદલે સદ્ગતિ અને પરમગતિ આપનારા બને છે. # શિષ્ય : ગુરુદેવ ! તમે સૌથી પહેલા એ વાત કરેલી કે સાધુઓ સ્વયંદાસ છે. તો ગુરુ પણ સાધુ જ છે જે છે ને ? એ પણ સ્વયંદાસ જ બને. ગુર પોતાના તમામ કાર્યો જાતે જ કરે. એટલે પછી “શિષ્યોને ઈચ્છાકારથી છે છે પોતાના કે ગચ્છના વૈયાવચ્ચાદિ કાર્યો સોંપવા, એ ન માને તો ઠપકો આપવો, ક્રોધ કરવો” આ બધી પંચાતો છે તે દૂર જ થઈ જાય છે. ગુર: એ સ્વયંદાસ વિશેષણ ગુરુ માટે નથી પણ ગુરુ સિવાયના બાકીના સાધુઓ માટે છે. ગુરુ પોતાના છે જ કામ કરવા સમર્થ હોય, પ્રતિલેખન, ગોચરી પાણી લાવવા, કાપ કાઢવો વગેરે બધા કાર્યો ગુરુ કરી શકતા છે જ હોય તો પણ ગુરુએ આ કાર્યો ન કરવા પરંતુ પોતાના શિષ્યાદિને જ એ કામો ઈચ્છાકારાદિ દ્વારા સોંપી દેવા. 8 આ શિષ્ય : આ તો પક્ષપાત કહેવાય. તમે તો ગુરુને મોટા મહારાજા બનાવવાની વાત કરો છો. અરે, ગુરુ દ. છે પણ પોતાનું કામ કરે, કરવું જ જોઈએ, એમાં શું વાંધો છે? છે ગુરુ ગુરુ જો પોતાના પ્રતિલેખનાદિ કાર્યો સ્વયં કરવા માંડે; શિષ્યને ન આપે તો ત્રણ નુકસાન થાય. 8 (૧) ગુરુ જ પોતાના બધા કામ જાતે કરી લે છે એટલે શિષ્યોને, નિશ્રાવર્તીઓને ગુરુની વૈયાવચ્ચ કરવા છે ન મળે. બધા દીક્ષિતો સ્વાર્થી બની પોત-પોતાનું કામ કરતા થઈ જાય. બીજાને સહાય કરવાના, વૈયાવચ્ચ કરવાના સંસ્કારો ન પડવાથી એ શિષ્યો સ્વચ્છંદી, અભિમાની બને. ગુરુની વૈયાવચ્ચ દ્વારા વિનય, પુષ્કળ નિર્જરા, પુણ્યબંધ વગેરે જે લાભો થાય એ બધા લાભો આ શિષ્યો ગુમાવે અને ગુરુ પણ શિષ્યોનું હિત ન કરી શકવાથી મોટું નુકસાન પામે. શિષ્યોને સાચા સંયમી બનાવનાર ગુરુ પુષ્કળ કર્મક્ષય પ્રાપ્ત કરે. પણ આ છે 8 ગુરુ પોતાના શિષ્યોને વૈયાવચ્ચાદિ ગુણો શીખવાડતા ન હોવાથી એમને સાચા સંયમી બનાવી શકતા નથી માટે છે એ કર્મનિર્જરાદિ લાભો ન મળે. (૨) ઉપાશ્રયમાં બહારથી શ્રાવકો, શ્રીમંતો વંદન કરવા આવે ત્યારે ગુરુને કામ કરતા જોઈ અધર્મ પામે. “આ ૮-૧૦ શિષ્યો છે. છતાં ગુરુ પાણી ગાળે છે. ગુરુ પોતાનું આસન જાતે પાથરે છે. ગુરુ જાતે પ્રતિલેખન કરે છે. અરેરે ! આ બધા શિષ્યો અવિનયી, ઉદ્ધત લાગે છે. અમે અમારા બા-બાપુજીઓને કેટલા સાચવીએ છે છીએ ! આ લોકો અનંત ઉપકારી ગુરુની પણ ભક્તિ નથી કરતા ?” આ વિચારો એમને અધર્મ પમાડે. (૩) ગુરુ રોજ બે-ચાર પાઠ આપતા હોય. સંઘના અનેક કાર્યો ગુરુના માથે હોય. ગચ્છની જવાબદારી 8 છે ગુરુએ નિભાવવાની હોય. આ બધા માટે ગુરુને પુષ્કળ સમય જોઈએ જ. હવે ગુરુ જો પોતાનું બધું જ કામ છે 8 જાતે કરવા લાગે તો ઘણો સમય એમાં પસાર થઈ જાય. પછી તો આ પાઠ આપવાદિ બધા કાર્યો અટકી પડે છે 8 અથવા તો ગમે તેવા થાય. ગુરુ પણ કામ કરવાથી થાકે એટલે એ બધા કાર્યો ઉત્સાહથી ન કરી શકે. આના છે આ કારણે સંઘને, ગચ્છને, શિષ્યોને ખૂબ નુકસાન થાય. | માટે ગુરુએ પોતાના કોઈ કામ જાતે ન કરતા શિષ્યાદિ પાસે જ કરાવવા, (સાવધાન ! એક-બે શિષ્યોના છે ગુરુ બની ગયેલા સંયમીઓ પોતાના માટે આ વાત ન લગાડે. આ વાત માત્ર મુખ્ય ગુરુ માટે છે. ૧૫ જણના 8 સપમાં ગુરુ પદવી પામી ચૂકેલા તો પાંચ-છ સંયમીઓ પણ હોય, એ બધા જ આમ કરવાના અધિકારી નથી, strict EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE સંયમ રંગ લાગ્યો - ઈચ્છાકાર સામાચારી ૦ ૨૪૧ RetrictEÉti fittttttttttttttttttttttttttttt 6666666666666666666666666

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286