Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 244
________________ Street it cttcttkfter EktariffEEEEEEEEEEEE v egggggggggggggggggg ઈચ્છાકાર સામાચારી અટકી નહિ પડે ને? તમે ઈચ્છાપૂર્વક મારું કામ કરશો ને?” આ શબ્દો નાના સાધુને લેશ પણ પીડાકારી ન બને. ટૂંકમાં વડીલના શબ્દો એવા હોવા જોઈએ કે નાના સાધુને કોઈક કારણસર એ કામ કરવાની ના પાડવી છે જ હોય તો એમાં એને વડીલને ખોટું લાગવાનો ભય ન લાગે. “હું ના પાડીશ તો વડીલ બધાને મારી ફરિયાદ છે 88 કરશે.” ઈત્યાદિ કોઈ ભય નાના સાધુને લાગવો ન જોઈએ. જો એવો ભય લાગતો હોય, તો વડીલ સાધુના જ વર્તનમાં, શબ્દોમાં નક્કી કંઈક ખામી, કર્કશતા હોવાની શક્યતા છે. શિષ્યઃ વડીલ સાધુ આદેશાત્મક ભાષામાં નાનાઓને કામ સોંપે તો વડીલને શું નુકસાન થાય ? ગુરુઃ આ વડીલ એ નાના સાધુઓને પોતાના નોકર તરીકે કામ કરાવનાર ગણાય કેમકે નોકરને જ આ છે R રીતે આદેશ કરી શકાય. હવે જેઓ બીજા સાધુઓને નોકર તરીકે કામ કરાવે તેઓ આવતા ભવમાં સ્વયં નોકર બને. અર્થાત્ આભિયોગિકનામકર્મ બાંધે. નીચ ગોત્ર બાંધે. છે (નીચ ગોત્ર બીજા ગુણસ્થાન સુધી જ બંધાય છે એટલે એનો અર્થ એ કે આદેશાત્મક ભાષામાં નાના છે 8 સાધુઓને પણ કારણસર કામ સોંપનારા વડીલ મિથ્યાત્વ ગુણસ્થાન પામી જાય એવી પાકી શક્યતા છે.) છે છે શિષ્યઃ વડીલની ફરજ શું છે ? એ તો આપે બતાવ્યું. પણ એ વખતે નાના સાધુઓની શી ફરજ છે? 8 છે એ તો જણાવો. 8 ગુરઃ વડીલ કોઈપણ કામ સોંપે ત્યારે નાના સાધુ કહે કે, “અહો ! આપે તો મારા ઉપર ખૂબ ઉપકાર છે ભ કર્યો. આપની સેવાનો લાભ મને ક્યાંથી મળે? મને તો આ કામ કરવામાં ખૂબ આનંદ થશે. બીજા પણ કોઈ છે છે કામો હોય, તો અવશ્ય બતાવજો.” એ વખતે નાના સાધુએ મુખ ઉપર સાચો હર્ષોલ્લાસ વ્યક્ત કરવો જોઈએ. જે આવું બોલવું એ નાના સાધુ માટે ઈચ્છાકાર સામાચારી ગણાય. શિષ્યઃ વડીલનું કામ કરવામાં આવા નાટકો કરવાની શી જરૂર છે? નાના સાધુ એ કામ કરી આપે જ છે છે એમની ફરજ છે. એમાં આવા શબ્દો બોલવાની, મુખ ઉપર હર્ષોલ્લાસ દેખાડવાની શી જરૂર છે ? આ તો છે નાટકીયાઓનું કામ છે. ગુરુઃ શાસ્ત્રોના રહસ્યો તું જાણતો નથી માટે આવા અપશબ્દો બોલે છે. જો નાનો સાધુ આવા ઉત્કૃષ્ટ આ શબ્દો, હાવ-ભાવો પ્રગટ ન કરે અને કંઈપણ બોલ્યા વિના એ કામ કરવા લાગી પડે તો ભલે એના મનમાં કે આ ખૂબ સારા ભાવ છે. છતાં વડીલને તો એમ જ લાગે કે, “આને મારું કામ કરવું ગમતું નથી. ના æકે, શરમથી જ કામ સ્વીકાર્યું છે માટે તો એના મુખ ઉપર કોઈ ઉલ્લાસ દેખાતો નથી.” એટલે વડીલને પણ દુઃખ થાય અને હા ભવિષ્યમાં એ વડીલ બીજીવાર આ સાધુને પોતાનું કામ ન સોંપે. આમાં નાનો સાધુ વડીલોનું વૈયાવચ્ચ ગુમાવે 8 વડીલને દુઃખ થાય એમાં નિમિત્ત બનવાનો દોષ પણ નાના સાધુને લાગે. એને બદલે જો એ નાનો સાધુ હર્ષોલ્લાસ, સુંદર શબ્દો પ્રગટ કરે તો નીચે પ્રમાણે ફાયદો થાય. (૧) નાના સાધુનો આ વિનય, વૈયાવચ્ચ કરવાનો ઉલ્લાસ જોઈ વડીલને ખૂબ આનંદ થાય. “આ સાધુ છે સ કેટલો સારો છે? કેવો ભક્તિવાળો છે?” એવા ભાવો વડીલના મનમાં પ્રગટ થાય. વડીલોને ગુરુને આનંદ ચાડવામાં જે સાધુ નિમિત્તે બને એ સાધુ પુષ્કળ પુણ્યકર્મ બાંધપોતાના ઉચિત વર્તન દ્વારા જે સાધુઓ ગુરુ 2. 88 કે વડીલાદિને પ્રસન્ન કરે છે. તેઓ મહાભાગ્યશાળી કહેવાય. (૨) એ નાનો સાધુ ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે. એ સાધુ હવે પછીના ભાવોમાં હલકા કુળોમાં ઉત્પન્ન ન થાય. 8 પણ ખાનદાન કુળોમાં, ઊંચા સ્થાનોમાં જન્મ પામે. સંચમ રંગ લાગ્યો : ઈછાકાર સામાચારી ૦ ૨૩૫

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286