Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 97
________________ તા. ૧૬-૯-૭૬ અશુદ્ધ જીવન નીકળે છે અને મારી ખોજ કરી રહ્યો છે એ દઢ વિશ્વાસ પણ છે. હવે આ વિચાર કંઇ નવો નથી. વૈષ્ણવી ભકિતસંપ્રદાયનો જ આ વિચાર છે. પણ રવીન્દ્રનાથે જે ઉત્કટતાથી, જે કલ્પનાશકિતથી, જે કાવ્યમય માધુરા સાથે આ વિચાર મૂક્યો તેને લીધે એ વિચાર જાણે આ કવિએ જ આપ્યો હોય એવી એની પ્રતિષ્ઠા બંધાઈ ગઈ. ગુજરાતી કવિઓના મનને કબજો આ વિચારે દઢતાથી લીધા છે. ‘ગીતાંજાલ'ના એક કાવ્યની પંકિતઓ વાંચું. (આ અને હવે પછી જે કાવ્યો વાંચીશ તે અનુવાદો શ્રી નગીનદાસ પારેખે કરેલા છે.) જ્યારે વિશ્વ મગન નિદ્રામાં, ગગન વિશે અંધાર, કોણ જગાડે વીણા તારે મુજ આવા ઝંકાર? નયન તણી નિદ્રા હરી લીધી, શયન તજી ઊઠી થઈ બેઠી, આંખ ઉઘાડી જોઈ રહું, નવ દર્શન મળે લગાર. છે કે ઝવેરચંદ મેઘાણીથી માંડી રાજેન્દ્ર અને નિરંજન સુધીના કવિએ એના પ્રભાવ નીચે આવ્યા છે. મેઘાણીનું પહેલું જ ગીત લઈએ: દીવડો ઝાંખે બળે – રે મારો દીવડો ઝાંબે બળે. આજે ઘેર અતિથિ આવે: પલ પલ પડઘા પડે, સકળ નગર સૂનું છે સ્વામી! તારાં સ્વાગત કોણ કરે? દીવડે. અને બીજા કવિઓનાં પણ કેટલાંક કામો જોઈએ. શ્રીધરાણી: રથ તારો મુજ બારણે આવ્યું, જાણું ને કયારે? કેમ? કયારે તે આંગળે હાથ પરોવ્યા કયારે મેં પૂછ ખેમ? પાંપણે ઘેનના ડુંગરા બેઠા, ઈરછાયા ન ઊભા થાય; અંતરમાં પડછંદ પડયા તોય ત્રાટક ના સંધાય. મનસુખલાલ ઝવેરી: મારા પ્રીતમને અભિસાર અકેલી આજે ભવ્યું, મારાં પાયલ બાજે પાય, કંપે મારું હૈયું કૂણું. મારું જીવતર ઝોલાં ખાય, રે! પ્રાણ મારે કોને ધરું ? હું તે ભવના તે વનની મહા 1 અકેલી ભૂલી ભયું. સ્નેહરશ્મિ : આંગણ કોણ આવી આજે ગાને બોલાવે! કો હૃદયદ્રારે આતુર - આજ વીણા બજાવે! રાજેન્દ્ર શાહ (જયારે) આવેલ નું ઘર મારે (ત્યારે) હાય હું ઘેલી ભાન ભૂલી’તી અંગના અલંકારે, ' કયાં દુ:ખથી જાણું ના રે, હૃદય ભર્યું મુજ અશુભારે કોને પહેરવા મન ઇચ્છે કંઠ તણે આ હાર? આમાં જે પ્રાર્થની ભાષા છે એ ભાષા ગુજરાતી કવિએ કેટલી બધી વાપરી છે તે આપણે આગળ ઉપર જોઇશું. ગીતાંજલિની વધુ પંકિતઓ વાંચું : પાસે મુજ આવી બેઠો તો, તોયે હું નવ જાગી, ઊંઘ મને કેવી આવી'તી! કેવી હું હતભાગી ! આવ્યો તો નીરવ મધરાતે, લાવ્યો તે વીણા નિજ હાથે, સ્વપ્ન મહીં ગંભીરે નાદે, રાગિણી ઊઠી વાગી, પાસે મુજ આવા બેઠો” તે, તે હું નવ જાગી. આ પ્રમાદના પસ્તાવાનું કાવ્ય છે તે હવે જે વાંચું તે પંકિતઓમાં કંઇક નિરાશા છે : દિવસ બધો વીત્યો તોપણ હજું આસન છે પથરાયું, ઘરમાં દીપ નથી પ્રગટાવ્યા, શી રીતે બેલાવું? મળવાની ઉર - આશે જીવું, હજીંયે નથી મળાયું; ગીત અહીં આવી જે ગાવા તે તે નથી ગવાયું. તે આ ગીતમાં જરાયે હતાશ થયા વિના પ્રયત્ન ચાલુ રાખવાની દઢતા દેખાશે : દિન વીયે, વીતી ગઈ વેળા, વિખરાયા હાટો ને મેળા, આવ્યા'તા બેલાવા તેઓ ફરિયા પાછા રોષે, પ્રેમ તણે હાથે પકડાવા બેઠી છું અહીં હસે. અને હવે પ્રિયતમ પોતે અભિસારે નીકળ્યો છે એ ભાવનાં બે કાવ્યોની એક એક કડી જોઇએ : આજે વાવંટોળી રાતે, પિયુ છે, તું નીકળ્યો અભિસારે, હતાશ સમ આકાશ રૂએ છે, નીંદ નથી, નયને ચૂએ છે, દ્વારે ખેલી છે મુજ પ્રિયતમ, જોતી વારે વારે, ' . પિયુ હે, નીકળ્યો અભિસારે, અને બીજું કાવ્ય : મુજ મિલન માટે નું યુગયુગ વીત્યાં સદા રહો છે આવી, તવ ચંદ્રસૂર્ય તુજને કઈ પેરે મુજથી શકે છુપાવી? • આ વિચારો ગુજરાતી કવિઓમાં એટલી વ્યાપક રીતે પ્રસર્યા કોણ તે આવ્યું આ વળતી રાતના - ઝાકળભીને ૨ અંધાર? છે ને ટકોરે અડકી બાણે કોણે કીધ રે ટીકાર? આંગણે આવીને જોઉં તે કોઈ ના! નિરંજન ભગત: મેઘલી રાતે વિરહની કોઈ વ્યાકુલ વાતે કોણ કરે છે ગીત ? નથી સોણલાં સોનલરંગી, મારે મારગ ના કોઈ સંગી, તોય અજાણે, પૂરવીને સૂર પાગલ પ્રાણે કોણ ધરે છે પ્રીત? આપણે રવીન્દ્રનાથનું એક કાવ્ય જેવું એમાં પિયતમ અભિસારે નીકળ્યો છે. મનુષ્ય ઈશ્વરને ઝંખે છે તે ઇવર પણ મનબને છે ઝંખતો નથી. નિરંજન ભગત એ વાતને આમ મૂકે છે: હરિવર મુજને હરી ગયો મેં તે હાલ કીધું ન્હોતું ને તે મુજને વરી ગયો! અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રતિ? હું શું જાણું કામણગારી મુજ હૈયે છે ગીતિ? છે તે મુજ કંઠે બે કરથી વરમાળા રે ધરી ગયા

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160