Book Title: Parv Mahima Author(s): Ravishankar Maharaj Publisher: Balgovind Kuberdas Co View full book textPage 8
________________ નિવેદન વલ્લભ વિદ્યાલયમાં સન ૧૯૪૫ થી ’૪૭ના વર્ષમાં ગ્રામસેવક તાલીમ વર્ગ ચાલેલેા. તે દરમિયાન પનિ દિવસે મહારાજશ્રી વિદ્યાલયમાં હાય ત્યારે તે તહેવારનુ' મહાત્મ્ય સમજાવતા. એ બધાં વ્યાખ્યાન સાંભળવાં બધાને ખૂબ ગમતાં, અને તે વખતે આપણી પ્રાચીન સંસ્કૃતિનું ચિત્ર ખડું થતું. અને આપણા પ્રાચીન તહેવારે પાછળ પણ કેવું કેવું જ્ઞાન પડેલું છે, એનું દર્શન થતું. એવી જ રીતે આધુનિક પર્વોની ઉજવણી પાછળ કેવી ષ્ટિ હાવી જોઇએ, તે પણ આ પર્વનાં વ્યાખ્યાનોમાંથી મળી આવતી. આ પુસ્તકમાં આ ખધાં વ્યાખ્યાનોનો સંગ્રહ કર્યો છે. તેમાંનાં કેટલાંક લખાણા તેા પ્રસંગે પ્રસંગે કોઈ કોઈ માસિકામાં છપાઈ પણ ચૂકવ્યાં છે. તેમ છતાં આ વ્યાખ્યાનો વિદ્યાર્થીઓ, સામાન્ય માણસો અને વધુ ભણેલા લેાકેાના હાથમાં જશે તે તેમને પણ એમાંથી ઘણું જાણવાનુ મળશે, એમ મને અનુભવ ઉપરથી લાગ્યું છે. મારે એ કબૂલ કરવું જોઈએ કે મહારાજ જયારે આલે છે ત્યારે એમની વાણી હૃદય ઉપર જ સીધી અસર કરી જાય છે, તે કદાચ આ વ્યાખ્યાનાના વાંચનમાંથી ન પણ થાય; તેમ છતાં પણુ આ વાંચી જનારને આપણા રાષ્ટ્રના પવિત્ર તહેવાર પાછળની ષ્ટિ સમજવામાં ઘણી મદદ મળશે એ વિષે મને જરાય શંકા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 134