Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 291
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૩૧૦-૧૩૧૧ અહીં વિશેષ એ છે કે વિવેકસંપન્ન શ્રાવક પણ દાન-શીલ-તપ-ભાવનામય ચારેય પ્રકારના ધર્મને સેવનારા હોય છે, પરંતુ શ્રાવકના જીવનમાં સ્વશક્તિઅનુસાર દાનધર્મનું સેવન બહુ માત્રામાં હોય છે અર્થાત્ પ્રધાનરૂપે હોય છે, અને શીલાદિ ધર્મનું સેવન અલ્પ માત્રામાં હોય છે અર્થાત્ દેશવિરતિરૂપ અલ્પ પ્રમાણમાં હોય છે. વળી તે શ્રાવક દાનધર્મને સેવી સેવીને શીલધર્મના પાલનની શક્તિના સંચયવાળા થાય છે, ત્યારે તેઓ સર્વ બાહ્ય પદાર્થોનો ત્યાગ કરીને ત્રણ ગુપ્તિના સામ્રાજ્યરૂપ શીલધર્મને સ્વીકારે છે, તે વખતે તે મુનિના જીવનમાં શીલધર્મનું સેવન પ્રધાનરૂપે હોય છે અને તપાદિ ધર્મનું સેવન અલ્પ માત્રામાં હોય છે અર્થાત્ તપાદિ ધર્મ પ્રધાનરૂપે હોતો નથી; વળી તે મુનિ શીલધર્મને પાળીને તપધર્મના પાલનની શક્તિના સંચયવાળા થાય છે, ત્યારે તેઓ પોતાની શક્તિના પ્રકર્ષથી વિશિષ્ટ કોટિના નિર્લેપભાવમાં ઉદ્યમ કરવારૂપ બાર પ્રકારના તપધર્મને સેવે છે, તે વખતે તેમનામાં તપધર્મનું સેવન પ્રધાનરૂપે હોય છે અને ભાવધર્મનું સેવન અલ્પ માત્રામાં હોય છે અર્થાત્ પ્રધાનરૂપે હોતું નથી; વળી તે મુનિ સર્વ પ્રકારના ઉદ્યમથી તપધર્મને સેવીને ભાવધર્મના પાલનના સંચિતવીર્યવાળા થાય છે, ત્યારે તેઓ સર્વ ભાવો પ્રત્યે પરમ ઉપેક્ષા પ્રગટ કરનારા ભાવધર્મને સેવે છે, તે વખતે તેઓમાં ભાવધર્મનું સેવન પ્રધાનરૂપે હોય છે. ૨૨ આથી જ મહાસત્ત્વશાળી તીર્થંકરો દીક્ષા લઈને નિર્વિકલ્પસમાધિમાં જવા માટે પ્રધાનરૂપે ભાવધર્મને સેવે છે અને સંચિત વીર્યવાળા યોગીઓ પણ યથાશક્તિ તપધર્મને સેવીને પ્રધાનરૂપે ભાવધર્મને સેવે છે; પરંતુ પૂર્વ-પૂર્વના ધર્મ સેવવા માટે અસમર્થ જીવો ઉત્તર-ઉત્ત૨ના ધર્મને પ્રધાનરૂપે સેવવા માટે યત્ન કરે, તો તે અસ્થાનપ્રયાસરૂપ છે. આથી જ શ્રાવકો અણુવ્રતરૂપે શીલધર્મ સેવતા હોવા છતાં પ્રધાનરૂપે દાનધર્મને સેવે છે અને ભાવસ્તવની શક્તિનો સંચય કરવા માટે પ્રધાનરૂપે દ્રવ્યસ્તવને સેવે છે. ૧૩૧૦ અવતરણિકા : ગાથા ૧૩૦૯-૧૩૧૦માં ગ્રંથકારે બતાવ્યું કે દાન-શીલ-તપ-ભાવધર્મ ક્રમશઃ પ્રાપ્ત થાય છે, તેથી પૂર્વપૂર્વના ધર્મની પ્રાપ્તિ વગર ઉત્તર-ઉત્તરના ધર્મની પ્રાપ્તિ થતી નથી. ત્યાં પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવને પ્રસ્તુત એવા દાનાદિ ધર્મના ક્રમ સાથે શું સંબંધ છે ? તેથી હવે દાનાદિ ચારેય ધર્મ સાથેનો દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો સંબંધ સ્પષ્ટ કરે છે . ગાથા: एत्थं च दाणधम्मो दव्वत्थयरूव मो गहेअव्वो । सेसा उ सुपरिसुद्धा णेआ भावत्थयसरूवा ॥१३११॥ અન્વયાર્થઃ ri ==અને અહીં=દાનાદિ ચાર પ્રકારના ધર્મના પ્રક્રમમાં, વાળધમ્મો વ્યત્યયવ મોક્ષેસવો દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ જ ગ્રહણ કરવો. સુપરમુન્દ્રા ૩ સેમા-વળી સુપરિશુદ્ધ એવા શેષ (ધર્મો) ભાવથયસવા= ભાવસ્તવસ્વરૂપ ખે=જાણવા. * 'ો' વ કાર અર્થમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354