Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 323
________________ ૩૦૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૩૫ ચિત્ વિજ્ઞમ્નિ-ઉચિત વિષયમાં સનન્દી-સ્વલબ્ધિ ોરૂ ૩-હોય જ છે. ાનાયરાતૢિ-કાલ-આચરણ દ્વારા તત્ત્વ=તે પ્રકારે થાય છે=વય પક્વ થયે છતે સાધ્વીઓ સ્વલબ્ધિને યોગ્ય થાય છે. પત્તેમિ-પાત્રમાં=ગુણવાન સાધ્વીમાં, નન્નુત્તોસા વિ -લઘુત્વથી દોષો પણ થતાં નથી. ગાથાર્થ અને કેટલાક જે કહે છે તે બરાબર નથી. શિષ્યાદિ-ભિક્ષાદિરૂપ ઉચિત વિષયમાં સાધ્વીઓને સ્વલબ્ધિ હોય જ છે. કાલ-આચરણ દ્વારા વય પક્વ થયે છતે સાધ્વીઓ સ્વલબ્ધિને યોગ્ય થાય છે. ગુણવાન સાધ્વીમાં લઘુત્વથી દોષો પણ થતાં નથી. ટીકા : तच्च न यत्केचनाऽभिदधति, कुत इत्याह-शिष्यादौ भिक्षादावुचिते विषये भवत्येव स्वलब्धिः, न तु न भवति, कालाचरणाभ्यां तथा भवति परिणते वयसि, आचरितमेतत्, तथा पात्रे न लघुत्वदोषा અવીતિ ગાથાર્થઃ ॥૩૩॥ ટીકાર્ય : અને કેટલાક જે કહે છે તે નથી=બરાબર નથી; કયા કારણથી ? એથી કહે છે — શિષ્યાદિરૂપ, ભિક્ષાદિરૂપ ઉચિત વિષયમાં સ્વલબ્ધિ હોય જ છે, પરંતુ નથી હોતી એમ નહીં. કાલ-આચરણ દ્વારા=સંયમના પર્યાય દ્વારા અને સંયમની ક્રિયાઓ દ્વારા, વય પરિણત થયે છતે તે પ્રકારે થાય છે=સાધ્વીઓ સ્વલબ્ધિને યોગ્ય ગુણોવાળાં થાય છે. આ આરિત છે=સાધ્વીઓ સ્વલબ્ધિ દ્વારા શિષ્યા આદિ કે ભિક્ષા આદિ ગ્રહણ કરે છે એ સાધ્વીઓ દ્વારા આચરાયેલ છે. તથા પાત્રમાં લઘુત્વથી દોષો પણ નથી=સ્વલબ્ધિને યોગ્ય ગુણવાળાં સાધ્વીમાં તુચ્છત્વથી દોષો પણ થતાં નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કેટલાકનો મત બતાવ્યો કે સાધ્વીઓને સ્વલબ્ધિ હોતી નથી, એ પ્રકારનું કેટલાકનું કથન ઉચિત નથી; કેમ કે સાધ્વીઓ પણ શિષ્યાદિ અને ભિક્ષાદિ ઉચિત વિષયમાં સ્વલબ્ધિવાળાં હોય છે. વળી સંયમના દીર્ઘ પર્યાયને કારણે અને લાંબો કાળ સંયમની આચરણાઓ કરવાને કારણે પરિણત ઉંમરવાળાં સાધ્વીઓમાં આવી લબ્ધિ પ્રગટે છે, જેના કારણે તે સ્વલબ્ધિમાન સાધ્વી, ‘આ મુમુક્ષુ સંયમ ગ્રહણ માટે યોગ્ય છે અને આ ભિક્ષાદિ સંયમવૃદ્ધિનું કારણ બની શકે તેવા નિર્દોષ છે,' તેવો નિર્ણય કરી શકે છે, અને નિર્ણય કર્યા પછી શિષ્યા, ભિક્ષાદિને ગ્રહણ કરીને સર્વ સાધ્વીઓને યોગમાર્ગમાં પ્રવર્તાવી શકે છે. વળી આ પ્રકારની શિષ્યા, ભિક્ષા આદિને સ્વલબ્ધિથી ગ્રહણ કરવાની પ્રવૃત્તિ સાધ્વીઓમાં આચરાતી દેખાય છે. વળી તુચ્છત્વને કારણે થનારા દોષો પણ ગુણવાન એવાં પાત્ર સાધ્વીમાં થતાં નથી. આનાથી એ ફલિત થાય કે સાધ્વીઓને દીક્ષાના અધિકારી મુમુક્ષુને કે સંયમને ઉપદંભક એવા આહાર-પાણી-ઔષધિને ગ્રહણ ક૨વાવિષયક સ્વલબ્ધિ હોય છે. આથી સ્વલબ્ધિમાન સાધ્વીમાં દીક્ષાને અભિમુખ થયેલ મુમુક્ષુની પરીક્ષા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354