Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 325
________________ ૩૦૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૩-૧૩૩૦ આમ, ગણધરપદને યોગ્ય આચાર્યના અને પ્રવર્તિનીપદને યોગ્ય સાધ્વીના ગુણોનું વર્ણન કર્યા પછી, કારને સ્મરણ થયું કે કેટલાક સાધુઓ ગણધરપદને યોગ્ય ગુણોવાળા નહીં હોવા છતાં શાસ્ત્રાધ્યયનથી સંપન્ન થયેલા હોવાથી સંયમના યોગોમાં સ્વલબ્ધિથી પ્રવર્તી શકે તેવા છે, તેથી ગ્રંથકારે તેવા સ્વલબ્ધિથી પ્રવર્તવાને યોગ્ય સાધુના ગુણોનું પણ ગાથા ૧૩૨૭માં પ્રાસંગિક રીતે વર્ણન કર્યું, ત્યારપછી તેવા સ્વલબ્ધિવાળા સાધુની વિહારની વિધિ જણાવવી આવશ્યક લાગવાથી, ગ્રંથકારે ગાથા ૧૩૨૮માં તેઓને ગુરુ સાથે કે ગુરુદત્ત યોગ્ય પરિવાર સહિત ગુરુથી પૃથ કે ગુરુદત્ત યોગ્ય પરિવારના અભાવમાં સમાપ્તકલ્પથી વિચરવાની વિધિનું વર્ણન કર્યું, ત્યારપછી સમાપ્તકલ્પનું સ્વરૂપ જણાવવું આવશ્યક લાગવાથી, ગ્રંથકારે ગાથા ૧૩૨૯થી ૧૩૩૨માં સ્વલબ્ધિમાન સાધુની સમાપ્તકલ્પની વ્યવસ્થાનું વર્ણન કર્યું. ત્યારપછી સ્વલબ્ધિથી પ્રવર્તવાને યોગ્ય સાધ્વીના પણ ગુણોનું ગાથા ૧૩૩૩માં વર્ણન કર્યું, અને સાધ્વીને આશ્રયીને સ્વલબ્ધિની યોગ્યતાના વિષયમાં ગાથા ૧૩૩૪માં કેટલાકનો મત બતાવીને અને ગાથા ૧૩૩૫માં તે મતનું નિરાકરણ કરીને, ગાથા ૧૩૩માં સ્વલબ્ધિમાન સાધ્વીની પણ સમાપ્તકલ્પની વ્યવસ્થાનું વર્ણન કર્યું. આમ, ગાથા ૧૩૨૭થી માંડીને ૧૩૩૬ સુધીનું સર્વ કથન ગ્રંથકારે પ્રાસંગિક રીતે કર્યું. હવે ગ્રંથકારશ્રી આગળની ગાથાઓમાં પ્રસ્તુત એવી ગણાનુજ્ઞાપ્રદાનની વિધિ દર્શાવશે. તેથી ગ્રંથકાર કહે છે કે પ્રસંગથી સવું, હવે અમે પ્રકૃતિની પ્રસ્તાવના કરીએ છીએ. ./૧૩૩૬ll અવતરણિકાઃ ગાથા ૧૩૨૭થી ગ્રંથકારે પ્રાસંગિક કથન કરવાનો પ્રારંભ કર્યો અને પૂર્વગાથામાં તે પ્રાસંગિક કથન પૂર્ણ કર્યું. હવે પ્રકૃત એવા ગણાનુજ્ઞા આપવારૂપ ગણધરપદ પર અનુયોગી આચાર્યને સ્થાપન કરવાની વિધિ ગાથા ૧૩૪૭ સુધી બતાવે છે – ગાથા : एत्थाऽणुजाणणविही सीसं काऊण वामपासम्मि । देवे वंदेइ गुरू सीसो वंदित्तु तो भणइ ॥१३३७॥ અન્વયાર્થ: સ્થિ=અહીં= યોગ્ય સાધુને ગણધરપદ પર સ્થાપન કરવાના પ્રક્રમમાં, (હવે બતાવે છે એ) મગાઈIવિદી અનુજ્ઞાની વિધિ છે. સીસંવામામિ શl શિષ્યને ઘામ પાસમાં કરીને ગુરૂ ગુરુ વંદે દેવોને વંદે છે, તો ત્યારપછી (ગુરુને) વંત્તિ વંદીને સૌનો શિષ્ય પટ્ટ કહે છે. ગાથાર્થ : યોગ્ય સાધુને ગણધરપદ પર સ્થાપન કરવાના પ્રક્રમમાં હવે બતાવે છે, એ ગણાનુજ્ઞાની વિધિ છે. શિષ્યને ડાબા પડખે રાખીને ગુર દેવોને વંદે છે, ત્યારપછી ગુરુને વંદીને શિષ્ય કહે છે. ટીકા : अत्र प्रक्रमे अनुज्ञाविधिरयं, शिष्यं कृत्वा वामपार्श्वे आत्मनः देवान् वन्दते गुरु: आचार्यः, शिष्यो वन्दित्वाऽत्रान्तरे ततो भणति वक्ष्यमाणमिति गाथार्थः ॥१३३७॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354