________________
kodbuscabastostarosta obcascostosowowsstastastestwestwoodostaess
astustest
સંબંધવાળી અને અભાવના પ્રકર્ષથી ઉવલ એવી આ મુક્તાવલી છે. વળી સિદ્ધાન્તરૂપપંક્તિ = મુક્તાવલીવાળી તેમજ લઘુ એટલે સારી યુક્તિ-પ્રયુક્તિવાળી એવી આ સિદ્ધાન્તમુક્તાવલી પંડિત પુરુષોના મનનો આનંદ વિસ્તારો. હવે સંપૂર્ણ શ્લોકને મુક્તાવલી=મોતીની માળા એ પક્ષમાં લગાડીએ.
વ્યા-માણિજ્યાદિ વિશિષ્ટ દ્રવ્યોવાળી તથા દોરીથી ગૂંથેલી અને પુણ્યશાળી પુરુષોના સત્કર્મને જણાવનારી તેમજ સામાન્ય અને વિશિષ્ટ એ બંને જાતના મોતી જેમાં હંમેશા મળેલા હોય છે તેવી તથા તેનો માવ = અંધકારમાં અત્યંત ઉજ્જવલ લાગતી અને જેમાં મોતીની ગોઠવણ સારા આયોજનથી કરવામાં આવી છે તેવી મોતીની માળા વિશ્વનાથ પંડિત દ્વારા વિષ્ણુના વક્ષ:સ્થળમાં અર્પિત કરાયેલી લાંબા સમય સુધી સજ્જનના મનને આનંદ આપો. कारिकावली : नूतनजलधररुचये गोपवधूटीदुकूलचौराय ।
तस्मै कृष्णाय नमः संसारमहीरुहस्य बीजाय ॥१॥ ટિપ્પણ : હવે કારિકાવલી ગ્રન્થની શરૂઆતમાં મંગલાચરણ કરતાં કૃષ્ણને નમસ્કાર કરે છે. નમસ્કાર=નમ્રભાવ=પોતાનો અપકર્ષ અને પરનો ઉત્કર્ષ-સૂચકભાવ. स्वापकर्षावधिकपरोत्कर्षानुकूलव्यापार: नमस्कारः ।
તબૈ નમ: MITય ! અહીં યત્ વિના તત્ શબ્દ આવેલ છે, એનાથી સૂચિત થાય છે કે તત્ શબ્દ જેમ પૂર્વપરામર્શક છે તેમ પ્રસિદ્ધપરામર્શક પણ છે, અર્થાત્ તત્ શબ્દ પ્રસિદ્ધવાચક પદોનો પરામર્શ (બોધ) કરવા માટે પણ વપરાય છે.
નૂતનનનધરવ – અહીં નવીન મેઘના જેવી કાંતિવાળા કૃષ્ણ કહ્યા તો તે કાંતિ = શ્યામતા બીજા પણ અનેક પદાર્થોમાં રહેલી છે. તો તે સર્વ પદાર્થોને છોડીને નૂતન જલધરની ઉપમા આપી તે સૂચવે છે કે જેમ શ્રીકૃષ્ણ નવીન જલધરની જેવી કાંતિવાળા | છે તેમ કૃષ્ણને કરેલ નમસ્કાર નૂતન જલધરની માફક શીઘ્ર ફળદાયક પણ છે.
ગોપવધૂટનવરાય - આ પદથી કૃષ્ણનું પામર જન પ્રત્યે પણ વાત્સલ્ય સૂચિત | થાય છે. અથવા તો : = ઇન્દ્રિયો, તેનું રક્ષણ કરનાર ગોપ: = મન અને તેની વપૂટી = સ્ત્રી, એટલે કે બુદ્ધિ, તેના આવરણને હરનાર એવા તે કૃષ્ણને નમસ્કાર થાઓ.
સંસારમહીસ્ટ્રી વીનાય-આ પદથી જણાવે છે કે કૃષ્ણ સંસારરૂપ વૃક્ષના બીજરૂપ | એટલે કે અસાધારણ કારણરૂપ છે. એવા તે કૃષ્ણને નમસ્કાર થાઓ.
SEEEEEE ન્યાચસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧ ૦ (૮) EEEEE