Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 6
________________ તો, દુષ્કૃતગર્તા પણ ‘હું'ને શિથિલ કરવાનું માધ્યમ બની રહે. મેં નાખેલ પાણીને કારણે દરિયામાં કેટલી ભરતી આવે છે ત્રીજું ચરણ ત્રિપદીનું : સુકૃતાનુમોદના. અન્યો દ્વારા થયેલ સુકૃત્યોની અનુમોદના. પ્રશંસા. અત્યાર સુધી માત્ર પોતાના દ્વારા થયેલાં નાનકડાં સુકૃત્યોને વિસ્તૃત - enlarge કરીને જોયાં... હવે નજર જાય છે અન્ય મહાપુરુષો આદિ દ્વારા થયેલ સુકૃત્યો પર. એ સુકૃત્યોની થતી અનુમોદના પોતાના ‘હું'ને સંકોચી લે એમાં શી નવાઈ ! થવું શું જોઈએ ? આપણાં કૃત્યો... કેવાં હોય છે એ ? આપણું વ્યક્તિત્વ નાનું. આપણું કૃતિત્વ એથી પણ નાનું હોવાનું. શો મતલબ એનો ? મરાઠી કવિ વિરંદીકરની એક રચના થોડાક ફેરફાર સાથે : હું દરિયાને કાંઠે ગયો મારા હાથમાં રહેલ પ્યાલામાંથી મેં પાણી ઊંડેલ્યું દરિયામાં. અને પછી ઊભો રહીને જોવા લાગ્યો કે આપણું વ્યક્તિત્વ પ્રભુના પ્રાગટ્યનું માધ્યમ બનવું જોઈએ. કોઈની સરસ વાત જોઈ. આંખમાં અનુમોદનાના લયમાં હર્ષાશ્રુ આવે. હું કહીશ કે પ્રભુ તમારી આંખોમાં પ્રગટ્યા. કોઈની સરસ વાત સાંભળી. અનુમોદનાના લયમાં સરસ વાતો તમે એ મહાનુભાવ માટે કરી. હું કહીશ કે પ્રભુ તમારે કંઠેથી પ્રગટ્યા. યાદ આવે રવીન્દ્રનાથ ટાગોર. કહે છે તેઓ પ્રભુને : પ્રભુ ! હું તો બાંસુરી છું. તું હવા થઈને મારી ભીતરથી વહે છે અને ત્યારે સંગીત મારી ભીતરથી પ્રગટે છે. પ્રભુ ! એ સંગીત તારું સર્જન છે. કેટલી મઝાની વાત ! આપણા જીવનની બાંસુરી. ‘એના હોઠ. સંગીતની ક્ષણોમાં હવે વહ્યા જ કરાય, વહ્યા જ કરાય. ૧૦ ; મોક્ષ તમારી હથેળીમાં મેં આયો શરન તિહારી રે ૧૧ shrink/E/rahullary-2018usha Taraf Halhelma ( 2 015) * 1st 2nd aw-abi 512 015 Bhian/Etvahalay-201wusalamurahma ( 2 015) * 1st & pd z -i511d--asis

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 93