Book Title: Mahavira Prakash 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 111
________________ મહાવીર પ્રભુને એકાંતવાસ હેતા નથી, અને તેથી તે કર્મ શત્રુ પર વિજય મેળવવાના માર્ગ દરેક આત્માને માટે જુદા જુદા હોય છે. એકાંતપણા વિષે જે વિચાર મેં ઉપર રજુ કર્યો છે, અને મહાવીરના જીવનની મનુષ્યપણે આત્માની એકાંત સ્થિતિ વિશે જણાવેલું છે, તેથી જરા આગળ વધીને તેમના જીવનના દુઃખના અનુભવના ચેકસ ભાગ વિષેની વધારે વિગતમાં આપણે હવે ઉતરીશું. મહાવીર જીવનના દુખનો અનુભવ જે કે મહાવીરના દુખે તે મુક આત્માના એકાંત અને ચેકસ માલીકીના દુઃખો હતા એમ કહેવાનો ભાવાર્થ નથી તેપણ બીજા ઘણું મનુષ્યના દુઃખે કરતાં તે દુઃખ ઘણું જુદા પડે તેવા હતા. તેમજ તેમના દુઃખો અસાધારણ પ્રકારના અને ન સરખાવી શકાય તેવી જાતના જુલમવાળા હતા એમ પણ કહેવાનું તાત્પર્ય નથી પરંતુ જે મુદ્દા વિષે વાંચકેનું ધ્યાન ખેંચવાની જરૂરીઆત છે તે એ છે કે આ છુપા દુઃખના સહન કરનારની પ્રકૃતિ સાથે અમુક એવી સ્થિતિ હતી કે જેથી તેમના દુખ એવા પ્રકારના કહી શકાય કે તે કઈ પણ મનુષ્યથી સહન થઈ શકે તેવા નહોતા. તે ઉપસર્ગમાંથી જે અમુક સત્ય હકીકત મળી આવતી તે ઉપરથી તેમના જીવનના વર્તનમાં જે શ્રેષ્ઠતા અને અદ્વિતીયપણું હતું તે માનુષિક અનુભવની શક્તિથી ન કળી શકાય તેવું હતું એમ કહેવામાં કાંઈપણ વિશેષતા જેવું નથી. તેથી કરીને મનુષ્ય જાતના ઈતિહાસમાં જે કાંઈ અનહદ ની હકીકત મળી આવે તેના કરતાં મહાવીર પ્રભુના દુઃખ મનુષ્યપણમાં તે એકલાથી જ સહન થઈ શકે તેવા એકાંત હતા, એમ કહેવામાં પણ અતિશયોક્તિ જેવું નથી. કર્મશત્રુ સાથેના યુદ્ધમાં વિજય મેળવતા દુઃખના ભયંકર દબાણને એકાંતપણે સહન કરતાં તેણે મનુષ્યજાતને કમશત્રુપર વિજય મેળવવાની ઘણી કુચીઓ પરોક્ષપણે બતાવી આપી હતી. ઉપરના વિચારને અનુસરીને મહાવીર પ્રભુના દુઃખ (ઉપસર્ગો)માં જે સગો હતા તેમાંના મુખ્ય એક બેપર અને કાઈક વિચાર કરવા પ્રયત્ન કરીશું. શ ર્મશ સાથેના કરતાં પણ બનાવી શૌ

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151