Book Title: Maa Baap Chhokarano Vyavhar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 18
________________ રહે ! નહીં તો રોજ કકળાટ થાય ! આપણને ધર્મમાં રસ હોય તો તે કરવા દે ! માટે ડીફેકટીવ હશે તો આપણાથી ડીકટેટરશીપ થાય. નહીં તો એ હીટલર થઈને ફરે ! ધણી ધણીયાણી એકબીજાને હેલ્પીંગ હોવા જોઈએ ! ઉનાળો ચોમાસાને હેલ્પીંગ છે ! ઓસ્ટ્રકટીવ નથી ! એવું આ બધા મોક્ષે જવા હેલ્પીંગ જ છે. સંસાર દુઃખરૂપ થાય તેમ મોક્ષ વહેલો આવે ! અત્યારે સતિ સીતા ખોળવા જાય તો કયાંથી મળે ? રામ હોય તેને જ મળે ! ‘લવ મેરેજ' કરાય કે નહિ ? કરાય ને ! કેમ નહિ? પણ માબાપની સહમતિ હોય તો જ આશિષ મળે ને સુખી થવાય ! ઘણા પૂછે દાદાશ્રીને કે પસંદગી વખતે જન્માક્ષર મેળવવા જરૂરી કે નહિ ? ત્યારે દાદાશ્રી કહેતા કે કોઈને જન્માક્ષર જોતા જ નથી આવડતાં ને ? જો જન્માક્ષર મેળવવામાં માનતા હોય તો તેની સાયકોલોજીકલ ઇફેકટ રહે અને વહેમ મહીં ગૂંચવે. માટે માનતા હો તો મેળવજો ને ના માનતા હો તો એમાં પડશો નહિ ! શાક લેવા મોકલીએ તો આજની છોકરીઓને કે છોકરાંને શાક ઓળખાતું નથી, લાવતા આવડતું નથી, અને ધણી ખોળવા નીકળ્યા છે ? પસંદગી કરવાની શી સમજ પડે ? બહારથી રૂપાળી બંબ કેરી જોઈને લાવે પણ ચાખે ત્યારે ખાટી ચંડ લાગે ! પછી શું ? કાપ્યા પછી કોણ પાછી લે ! માટે પાત્રની પસંદગી ટાણે અનુભવીની સલાહ માનવી જરૂરી. બીનઅનુભવી ભીંડા લેવામાં ય છેતરાય તો આમાં શું ના છેતરાય ? અરે, રસ્તે જતા ચાર રસ્તા આવે ને આપણને ખબર ના પડતી હોય તો જાણકારને, અનુભવીને નથી પૂછવું પડતું? તો આમાં પૂછવામાં શો વાંધો ? ત્યાં આજના છોકરાંઓના મગજમાં ભરાઈ ગયું કે મા-બાપને શી સમજ પડે ? અમારે એની જોડે જીંદગી કાઢવાની છે તો અમને જ ખબર પડે ને ? તે જાત પસંદગીવાળાના વધારે ડાયવોર્સ થાય છે કે મા-બાપોનાં ગોઠવેલાનાં ?! છોકરાં માટે ધડધડ ના પાડી દે ને પછી પસ્તાય કે આનાં કરતાં પહેલો સારો હતો, ખોટી ના પાડી ! અને ઉપરથી ગમે તેટલું રૂપાળું હોય પણ સિન્સિયર ના હોય તો તેને શું કરવાનું ? પરણ્યા પછી બાહ્યરૂપનું મહત્વ રહેતું નથી, પછી તો અંદરનું રૂપ કામ લાગે છે જીવનમાં સુખશાંતિથી જીવવા માટે ! પરણતાં પહેલાં ચશ્માવાળી છોકરીને કેન્સલ કરે ને પૈણ્યા પછી વહુને જ ચશ્મા બનાવીને બધાંને જુએ ! ને જરાક વહુને આંખમાં નંબર આવે તો વઢી વઢીને પહેરાવે ! માટે ઊંચા ચારિત્રને વધારે મહત્વ આપવું જોઈએ બાહ્ય રૂપ કરતાં ! લગ્નજીવનમાં એકબીજાને સિન્સિયર, એટલે હક્કની સિવાય બીજે કયાં ય દ્રષ્ટિ પણ ના બગાડે ! સારા સારાને ના પાડી દે, તે તેને તરછોડ વાગે ને તેનું રીએકશન પોતા પર આવ્યા વગર ના રહે ! માટે પહેલાનું પ્રતિક્રમણ કરી ધોઈ નાખવું. જો સુખી થવું હોય તો પરણતાં પહેલાં ગુરુને કે મા-બાપને પૂછીને કરવું. પૈણતાં પહેલાં ધણીને આમ કંટ્રોલ કરીશ, ને સાસુને, નણંદને આમ નહીં ગાંઠું એવું બધું ગોઠવે પણ તેનું પરિણામ શું આવે ? તલ્લાક, ટુંક સમયમાં જ ! તેના કરતાં મૌન અને સમતાથી જે બધાં વશ વર્તે તેની તો વાત જ ઓર ! સમતામાં રહે તો તેનું ચારિત્રબળ ઉત્પન્ન થાય અને તેનો પ્રભાવ કંઈ ઓર જ હોય ! ક્રોધ કરનાર કરતાં ક્રોધ ના કરનારનો તાપ વિશેષ પ્રકારનો હોય ! કષાય વગરનાં જે થઈ ગયા એવા વીતરાગો. તીર્થકર ભગવંતોને આજે હજારો વર્ષ પછી ય નામ પડતાં જ શીશ ઝૂકી જાય છે !!! કેવો એનો પ્રભાવ !!! ૧૯. સંસારમાં સુખ સધાય સેવાથી ! મા-બાપની સેવા વિનય અને રાજીપો લેવો એ તો અધ્યાત્મમાં આગળ જવા પાયાની માંગ છે ! બ્રહ્મચારી હોય કે પૈણેલા હોય, માબાપને તરછોડીને કોઈ પ્રગતિ ન થઈ શકે ! હા, એમને સમજાવી, મનાવી, ધીમે ધીમે કામ લેવું. પ્રતિક્રમણે ય ખૂબ કરવાં. મા-બાપ છોકરાં પર દબાણ કરે કે ડૉકટર થા, છોકરો કહે મારે 34

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 315