________________
– જ્યોતિર્ધરની જીવન ગાથા –
મુંબઈ,
તા. ૯મી જુલાઈ, ૧૮૯૩
જાહેર ખબર “સર્વ ધર્માભિલાષી જૈનોને વિનયપૂર્વક સૂચવવામાં આવે છે કે અમેરિકા ખંડ મધ્યે ચિકાગોની પરિષદમાં સંઘના નામથી જૈન એસોસિયેશને પ્રતિનિધિઓ મોકલવા વિષે જૈનોની સંમતિ લીધા વિના ઠરાવ્યું છે. તેના વિરુદ્ધમાં જાણવા જેવી બાબતો હાલમાં બહાર આવી છે અને તેથી ઘણા લોકો નાખુશ છે. આ વાત હવે એટલી બધી પ્રસિદ્ધ છે કે તેનું વધારે વિવેચન કરવા હવે દરકાર રહેતી નથી અને અમો આ નીચે સહી કરનારાઓ ખુલ્લી રીતે જણાવીએ છીએ કે જે બે પ્રતિનિધિઓ ચિકાગો મોકલવાનું ઠરાવ્યું છે તે અમોને તદ્દન પસંદ નથી. તેથી અમો તેને રદ કરીએ છીએ અને એ બાબતમાં અમારાં જૈની લોકોની સંમતિ નથી.”
આ પત્રિકા નીચે ૧૩૭ સહીઓ કરવામાં આવી હતી ને નીચે લખ્યું હતું કે, “વધારે લંબાણ થઈ જવાથી માત્ર જૂજ જ સહીઓ છપાવી છે.”
આ બધી વિગત આપવાનું કારણ એ છે કે એ વખતે જ્ઞાતિનાં બંધન આજના જેવાં શિથિલ ન હતાં. શ્રી વીરચંદભાઈ જેવાને દંડ આપવા સમાજનો અમુક વર્ગ તૈયાર થયો એ તો ઠીક, પરંતુ એ વખતે એમની સાથે સંબંધ રાખનારનો પણ સામાજિક બહિષ્કાર થાય એવી પરિસ્થિતિ હતી. આમ છતાંય શ્રી વીરચંદભાઈને વિદેશ મોકલવા બાબત મુંબઈનો સંઘ વિરુદ્ધ પડ્યો ત્યારે શ્રી મગનલાલ દલપતરામે ગુરુભક્તિથી પ્રેરાઈને ગુર-ઈચ્છા પાર પાડવા ગજા ઉપરાંત રકમ પોતે સહાયાર્થે આપી, સંઘને સમજાવી આ કાર્યને પાર પાડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. એમણે આ કટોકટીના સમયે જાહેર નૈતિક હિંમત દાખવી. શ્રી વીરચંદભાઈ સાથે ખાવાપીવાનો સંબંધ રાખ્યો, એટલું જ નહિ પરંતુ ભાયખલામાં બસો પરોણાઓનું જમણ કરી શ્રી વીરચંદભાઈ સાથે વ્યવહાર જારી રાખ્યો. વાતાવરણ વિશેષ તંગ બન્યું. ધર્મના કાર્ય માટે કામ કરનાર
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org