________________
.
જ્યોતિર્ધરની જીવન ગાથા
પરિશિષ્ટ
૧
પશ્ચિમની નજરે શ્રી વીરચંદ ગાંધી
શ્રી વીરચંદભાઈની વિદેશની કામગીરીને ત્યાંનાં વર્તમાનપત્રો અને અગ્રગણ્ય નાગરિકોએ કઈ દૃષ્ટિથી મૂલવ્યાં એ જોવું રસપ્રદ થશે, અને એ જોયા વિના એમનું મૂલ્યાંકન પણ અધૂરું ગણાશે. આ દૃષ્ટિએ
એવા કેટલાંક વિદેશી પત્રોના અને અગ્રગણ્ય નાગરિકોના અભિપ્રાયનો અનુવાદ જોઈએ.
એડિટર્સ બ્યૂરો (અમેરિકનં સામયિક)
તંત્રી સ્થાનેથી
શ્રી વીરચંદ રાઘવજી ગાંધી મુંબઈ યુનિવર્સિટીના સ્નાનતક (બી.એ.) છે અને અસાધારણ બુદ્ધિ-પ્રતિભા ધરાવે છે. તેઓ અંગ્રેજી સહિત ચૌદ ભાષાના અચ્છા જાણકાર છે, અને જૈન એસોસિયેશન ઑફ ઈન્ડિયાના મંત્રી છે. ભારતમાંથી એક જ એવા સગૃહસ્થ હોવાનું તેઓ વિશિષ્ટ સ્થાન ધરાવે છે કે જે ચિકાગો વિશ્વધર્મ પરિષદ, ૧૮૯૩માં તેના વતનીઓ દ્વારા પસંદ કરાયેલા જૈન ધર્મના પ્રતિનિધિ હતા અને જેણે ૫૦,૦૦,૦૦૦ જૈનોનું ગૌરવથી પ્રતિનિધિત્વ કર્યું. મિ. ગાંધી આપણા રીતરિવાજો, રાજકીય પરિસ્થિતિ, શૈક્ષણિક અને ઔદ્યોગિક સંસ્થાઓનો અભ્યાસ કરવા આપણા દેશમાં રહ્યા છે. તેઓ પ્રભાવશળી વ્યક્તિત્વ ધરાવે છે તેમજ લાગણીશીલ, ગંભીર, આદર્શસિદ્ધ તેમજ સ્વમાન અને નૈતિક હિંમત ધરાવે છે. આ બધું અને એથી વિશેષ અસર કરે એવી બાબત, એની સ્વસ્થતા, શાંતિ, જિજ્ઞાસુ દૃષ્ટિ અને ભારતના રીતરિવાજ તેમ જ ધર્મોની ચર્ચા કરવાની એમની છટા છે, પરંતુ જ્યારે માનવજાતની સ્વાર્થ પરાયણતા, અન્યાય અને અજ્ઞાન, લોકોની ભીષણતા વિષે તેઓ ચર્ચા કરે છે ત્યારે ખૂબ જ છટાપૂર્વક પ્રવચન કરે છે અને એ વિષે જ્યારે વિસ્તારથી ચર્ચા કરે છે ત્યારે તેનો આત્મા, એની આંખની તેજસ્વિતા દ્વારા ઝળહળી ઊઠે છે. જ્યારે પણ તક મળે ત્યારે ભારતના વતનીને સાંભળવાની કોઈએ
Jain Education International
-
૫૨
For Private & Personal Use Only
www.jainelibrary.org