Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot

View full book text
Previous | Next

Page 271
________________ ૨૧૬ અને ઉચ્ચ કાવ્યત્વની કક્ષાએ પહોંચતી પંક્તિઓ આ આધ્યાત્મિક ગુણવાળાં પદોને સાહિત્યિક દૃષ્ટિએ પણ ઉચ્ચ કક્ષાનાં બનાવે છે. તેમનું લેખન પ્રવાહબદ્ધ છે. એ પ્રવાહ ક્યાંક જોશભેર, તો ક્યાંક ચિંતનસુલભ ગંભીર ગતિએ વહેતો જાય છે. તેમની રચનાઓમાં અક્ષરમેળ છંદનો ઉપયોગ ભાગ્યે જ થયેલો છે. મુખ્યત્વે દોહરાનો અને ક્વચિત્ અન્ય માત્રામેળ છંદો તથા દેશીઓનો ઉપયોગ થયેલો છે. આ રચનાઓમાં સામાન્ય રીતે અંત્યાનુપ્રાસનો ઉપયોગ થયેલો જોવા મળે છે. સાથે સાથે ક્યારેક ઉપમા, રૂપક આદિ અનેક અલંકારો પણ ઉપયોગમાં લેવાયાં છે. શ્રીમદ્દ્નાં વિશાળ વાંચનનો અને અનુભવના અમૃતનો લાભ આપતી વિવિધ પદ્યરચનાઓ જોતાં એમ લાગે છે કે ઉચ્ચ પ્રકારની નૈસર્ગિક કવિત્વશક્તિ વસ્તુસ્પર્શ તથા અભિવ્યક્તિનું સામર્થ્ય તેમનામાં હતાં. તેઓ મહાજ્ઞાની તથા જૈનધર્મના અનોખા ભાષ્યકાર હોવા સાથે તેમની પ્રકૃતિનો એક ભાગ નિર્વિવાદપણે કવિનો હતો. ‘અપૂર્વ અવસર’ આદિ કાવ્યોની હસ્તલિખિત પ્રતો જોતાં ખ્યાલ આવે છે કે તે કૃતિઓમાં ભાગ્યે જ શાબ્દિક ફેરફાર કરવામાં આવ્યા છે, જે શ્રીમદ્દ્ની પ્રબળ સર્જનપ્રતિભા અને ઉચ્ચતર આધ્યાત્મિક કક્ષા દર્શાવે છે. જેમ શ્રી આનંદઘનજી મહારાજ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અને ગણિશ્રી દેવચંદ્રજી મહારાજનાં સ્તવનો તથા પદો ભાવની સૂક્ષ્મતા અને ધ્યેયની ઉચ્ચગામિતાના કારણે તત્કાલીન ગુજરાતી સાહિત્યમાં અનોખી ભાત પાડે એવાં છે, એવું જ શ્રીમનાં કાવ્યો વિષે પણ કહી શકાય. *** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314