Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot

View full book text
Previous | Next

Page 278
________________ ૨૨૩ પ્રકારના, ઇન્દ્રિયના ભેદ વડે પાંચ પ્રકારના અને કાયાના ભેદ વડે છ પ્રકારના છે. શ્રીમદે આ ટીકામાં જીવના કઈ અપેક્ષાથી કેટલા ભેદ થાય છે તે અનુક્રમે ચાર પ્રકાર સુધી સરળ, સ્પષ્ટ, અર્થગંભીર અને પ્રવાહી ભાષામાં બતાવ્યું છે અને તે પછી ટીકા અપૂર્ણ રહેલી છે. ૧ સમયસારનાટકની ગાથાઓની સમજણ શ્રીમા પત્રોમાં ‘સમયસારનાટક'ની કેટલીક ગાથાઓના રહસ્યની સમજૂતી જોવા મળે છે. તેમણે શ્રી સૌભાગ્યભાઈ ઉપરના એક પત્ર(પત્રાંક-૩૧૭)માં ‘સમયસારનાટક'ના કર્તાકર્મક્રિયાદ્વારની ૧૦મી ગાથા સમજાવી છે. દ્રવ્યનો શુદ્ધ સ્વભાવ ઉદ્ઘોષતી આ ગાથાના વિવેચનમાં તેમણે વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે, એક પરિણામ બે દ્રવ્ય ન કરી શકે, એક દ્રવ્ય બે પરિણામે પરિણમી ન શકે, એક ક્રિયા બે દ્રવ્ય ન કરી શકે, બે ક્રિયા એક દ્રવ્ય ધારણ ન કરી શકે, જીવ અને પુદ્ગલ બન્ને એકક્ષેત્રાવગાહી છે પણ તે બન્નેમાંથી કોઈ પોતપોતાનું રૂપ છોડે નહીં, જડ પરિણામનો કર્તા પુદ્ગલ છે, ચિદાનંદ આત્મા ચેતનસ્વભાવ આચરે છે. દ્રવ્યસ્વતંત્રતાની ગહન વાતો શ્રીમદે ટૂંકામાં સ્પષ્ટપણે સમજાવી છે. વિ.સં. ૧૯૪૯ના ચૈત્ર માસના શ્રી સૌભાગ્યભાઈ ઉપરના એક પત્ર(પત્રાંક-૪૩૮)માં શ્રીમદ્દે ‘સમયસારનાટક'ની ઉત્થાનિકાની ૨૬મી ગાથાનું વિવેચન કર્યું છે. તેમાં તેમણે જીવનાં સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા અને ચૈતન્યતારૂપ લક્ષણોની સરળ ભાષામાં વિસ્તારથી સમજણ આપી છે. આ ઉપરાંત તેમણે વિ.સં. ૧૯૪૮ના મહા મહિનાના શ્રી સૌભાગ્યભાઈ ઉપરના એક પત્ર(પત્રાંક-૩૨૮)માં ‘સમયસારનાટક'ના સર્વવિશુદ્ધિદ્વારની ૧૦૯મી ગાથા અને વિ.સં.૧૯૫૩ના ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૧૧-૩૧૩, ૩૧૬, ૩૬૭૩૬૯, ૬૦૫ (આંક-૩૧૭, ૩૨૮, ૪૩૮, ૭૮૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314