Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot

View full book text
Previous | Next

Page 292
________________ ૨૩૭ તેમણે અનેક પ્રકારના ગ્રંથો પણ વાંચ્યા હતા. બાળપણમાં તેમને વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રીતિ હતી અને તેમણે કંઠી પણ બંધાવી હતી. પછી જૈનોનાં પ્રતિક્રમણ સૂત્ર આદિ પુસ્તકો વાંચતાં તેમને જૈન ધર્મમાં પ્રીતિ થઈ હતી. તેર વર્ષની વય પછી તેઓ પિતાની દુકાને બેસતા હતા. તેમના સુંદર અક્ષરોને કારણે કચ્છના દરબારના ઉતારે તેમને લખવા માટે બોલાવતા ત્યારે તેઓ ત્યાં જતા. સમુચ્ચયવયચર્યામાં લેખમાં તેમની નિર્દોષતા, સત્યપ્રિયતા, નિખાલસતા આદિ પ્રગટ રીતે જોવા મળે છે. તેમણે પ્રયોજેલી ભાષા સરળ, સચોટ અને સઘન છે તથા તેની સુસંગતતા ધ્યાન ખેંચે છે. આમ, શ્રીમદ્દના બાળપણ આદિ વિષે માહિતી મેળવવા, શ્રીમદ્ભા સ્વહસ્તે આલેખાયેલું આત્મકથા જેવું આ શબ્દચિત્ર મુખ્ય સાધન હોવાથી તેનું ખૂબ મૂલ્ય છે. રોજનીશી વિ.સં. ૧૯૪૬માં શ્રીમદે રોજનીશી લખવાની ચાલુ કરી હતી અને અમુક મિતિઓએ પોતાના વિચારો તેમાં લખ્યા હતા. આ રોજનીશીનાં ૧૮ લખાણો પ્રાપ્ત થયાં છે. કેટલાંક પાનાં કોઈએ ફાડી લીધેલાં જણાય છે. રોજનીશીનો લગભગ બધો ભાગ મુંબઈમાં લખાયેલો જોવા મળે છે. આસો માસનાં બે લખાણ જ વવાણિયામાં થયેલાં છે. રોજનીશીમાં વિવિધ પ્રકારનું લખાણ જોવા મળે છે. તેમાં પ્રત્યેક અવસ્થામાં જીવને રહેતો ભય, સાચું સુખ કર્યું, આશા, સ્વચ્છ દૃષ્ટિ આદિ વિષે લખાણો છે. શ્રી ભગવતીસૂત્ર'ના ત્રીજા શતકના બીજા ઉદ્દેશકનો થોડો અનુવાદ પણ મળે છે, જેમાં શ્રી મહાવીર ભગવાને, પોતે છબસ્થ અવસ્થામાં કેવી રીતે વિચરતા તેનું શ્રી ગૌતમસ્વામીને જણાવેલું વર્ણન છે. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૩૨-૨૩૬ (આંક-૧૫૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314