Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot

View full book text
Previous | Next

Page 301
________________ ૨૪૬ એક મુમુક્ષુભાઈએ શ્રીમદ્ભા ઉપદેશામૃતમાંથી નિત્યનિયમની નોંધ યોજેલ છે અને લગભગ તે જ પ્રકારની નોંધ ૩૬મા ભાગમાં પણ જોવા મળે છે. ૩૪મા ભાગમાં સત્ય વિષે લેખ છે. ૩૫મા ભાગમાં છ દર્શનોમાં જૈન દર્શનની ઉત્તમતા અને તે છતાં લોકો અન્ય દર્શન પ્રત્યે શા માટે આકર્ષાય છે, તે વૈદ્યનું દૃષ્ટાંત આપી સમજાવ્યું છે. ૩૭માં ભાગમાં સદ્ગુરુનું માહાભ્ય બતાવતા “ગુરુગીતાના શ્લોકની અને “શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રની “સર્વાર્થસિદ્ધિ' ટીકાની પહેલી ગાથાની સમજણ જોવા મળે છે. ભાગ ૩૮માં ખેડાના એક વેદાંતવિદ્ વિદ્વાન વકીલ, પંચદશી' નામના ગુજરાતી ગ્રંથના કર્તા શ્રી પુંજાભાઈ સોમેશ્વર સાથેની આત્માના અસ્તિત્વ, કર્મ, પુનર્જન્મ, ઈશ્વર આદિ સંબંધી પ્રશ્નોત્તરી છે, જેમાં શ્રીમની આત્મા સંબંધી અનુભવયુક્ત શ્રદ્ધાનું પ્રમાણ મળે છે. ૩૯મા ભાગમાં આઠ કર્મની સમજણ છે તથા ૪૦મા ભાગમાં સંસારપ્રસંગમાં જ્ઞાનીની વર્તના સમજાવી છે. ૪૧મો અંતિમ ભાગ શ્રી અંબાલાલભાઈની નોટમાંથી લેવામાં આવ્યો છે અને તેમાં ચાર પ્રકારના ગોળાના દૃષ્ટાંતે જીવના ચાર પ્રકાર બતાવ્યા છે. આમ, ઉપદેશ નોંધ'માં વિવિધ વિષયો ઉપરનાં શ્રીમદ્નાં વિચારોનો સમાવેશ થયો છે. ઉપદેશ છાયા ‘ઉપદેશ છાયા' એ પ્રાસંગિક બોધનો સંગ્રહ છે. તેના ૧૪ ભાગો છે. વિ.સં. ૧૯૫૨ના શ્રાવણ-ભાદરવા માસમાં કાવિઠા, રાળજ, વડવા, આણંદ આદિ ક્ષેત્રે શ્રીમન્નુ નિવૃત્તિ અર્થે રહેવાનું થયું હતું. તે વખતનો ઉપદેશ તેમના સમીપવાસી અને તીક્ષ્ણ ક્ષયોપશમવાન શ્રી અંબાલાલભાઈએ પોતાની મૃતિના આધારે સંક્ષેપમાં ઉતાર્યો હતો. એમાં શ્રીમદ્ભા ઉપદેશની છાયા ઝીલવામાં આવી છે, માટે તે સંગ્રહને “ઉપદેશ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૮૩-૭૩૫ (આંક-૯૫૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314