Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot

View full book text
Previous | Next

Page 295
________________ ૨૪૦ અર્થે લખેલા પ્રશ્નોત્તર ઉપરાંત તેમની દશા, તેમના અનુભવ, દર્શનોદ્ધાર યોજનાઓ આદિ સંબંધી અનેક ઉદ્ગારો છે. હાથનોંધ-૧ ઉપર ઈ.સ. ૧૮૯૦નું કેલેન્ડર છે અને તેમાં સો પાનાં છે. આ હાથનોંધમાંથી શ્રીમ પ્રબળ ઉદાસીનદશા વર્તતી હતી તેનો તથા નિજદોષ નીરખનારી તેમની અતિ સૂક્ષ્મ દૃષ્ટિનો સ્પષ્ટ પરિચય મળે છે. તેમના આત્મપુરુષાર્થ તથા તેમની આત્યંતર દશાનો કેવો વિશિષ્ટતમ પ્રકાર વર્તતો હતો તે પણ આ હાથનોંધમાંથી જાણવા મળે છે. આ હાથનોંધમાં છ પદની નિઃશંકતા, જીવસ્વરૂપ, આત્મસાધન, મન-વચન-કાયાનો સંયમ, ધ્યાન, ષડ્રદર્શન, આત્મચિંતન, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો વગેરે વિષયોની વિચારણા જોવા મળે છે. જિન દર્શનની શ્રેષ્ઠતા બતાવતાં શંકા-સમાધાન, સિદ્ધનું લોકાલોકપ્રકાશકપણું ઇત્યાદિ અંગેના પ્રશ્નો જોવા મળે છે. શ્રીમને તે વિષયમાં સંશય કે અનિશ્ચિતતા હતી એવો આ પ્રશ્નોનો અર્થ નથી થતો, પરંતુ તેમણે આ અનેક ગૂઢ પ્રશ્નો પોતાના આત્માની સમક્ષ ઉહાપોહાર્થે, ઊંડા મનનાર્થે મૂક્યા છે; તે પ્રત્યે દૃષ્ટિપાત કરતાં શ્રીમદ્ગી તત્ત્વદૃષ્ટિ પ્રત્યે બહુમાન સ્લરે છે. એક લખાણમાં તેમણે ચક્રવર્તી, ઈન્દ્ર આદિ જગતના જીવોની દુઃખમય સ્થિતિનું, સિદ્ધના સુખનું અને ચોથા થી બારમાં ગુણસ્થાન (અગિયારમા સિવાય) સુધીના જીવોની ઉત્તરોત્તર ચઢતી સુખની લહરીઓનું દર્શન કરાવ્યું છે. શ્રીમદે પોતે વ્યવહારમાં હોય ત્યાં સુધી કેમ વર્તવું તે વિષે લખેલું છે તથા નિવૃત્તિ માટેની તેમની ઇચ્છા પણ તેમાં જોવા મળે છે. વળી, અન્ય ગ્રંથોમાંથી લેવાયેલાં અમુક અવતરણો તથા એક આકૃતિ પણ જોવા મળે છે. આ હાથનોંધમાં ત્રણ કાવ્યો પણ છે. “મારગ સાચા મિલ ગયા' એ ઉગારથી પ્રારંભ થતા પ્રથમ કાવ્યમાં શ્રીમદે સાચો માર્ગ મળી ગયો, સંદેહ છૂટી ગયો, બાહ્ય દેહથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314