Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot

View full book text
Previous | Next

Page 296
________________ ૨૪૧ જ્ઞાનદેહને જુદો પાડ્યો તે તથા કલ્પના-જલ્પના મટતાં વસ્તુ પમાય, ઇચ્છા દુઃખનું મૂળ છે આદિ વિચારો વ્યક્ત કર્યા છે. હોત આસવા પરિસવા' કાવ્યમાં પરમાર્થભૂત બોધ છે. તેમાં જ્ઞાનીને આસવનાં કારણો સંવરરૂપે પરિણમે છે, જિનોપદેશ ત્રણે કાળમાં ઉત્તમ છે, નિજરૂપને જાણ્યા વિના સર્વ ફોગટ છે, વ્યવહાર અને નિશ્ચયથી દેવ કોણ છે આદિ વિષયોનું નિરૂપણ છે. ત્રીજા “ધન્ય રે દિવસ આ અહો” એ દિવ્ય, આહલાદજનક પદમાં શ્રીમદે પોતાની જીવનધન્યતા ગાઈ, પોતાના ક્રમિક ઊર્ધ્વ આત્મવિકાસનો પરિચય આપ્યો છે. તેમાં તેમણે પોતાનાં અપૂર્વ અનુસાર (જાતિસ્મરણજ્ઞાન), અદ્ભુત વૈરાગ્ય, શુદ્ધ સમકિત, પ્રબળ પ્રારબ્ધ ઉદયનું આગમન અને પછી તેની ક્ષીણતા, સત્ય ધર્મનો ઉદ્ધાર કરવાનો નિશ્ચય વગેરેનું વર્ણન કર્યું છે. તેઓ અપ્રમત્તયોગની દશાએ પહોંચશે અને કેવળ લગભગ ભૂમિકાએ સ્પર્શીને દેહવિયોગ થશે, એમ જણાવી આ કાવ્યના અંતે તેઓ પ્રકાશે છે – તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે." હાથનોંધ-રમાં ઈ.સ. ૧૮૯૬નું કેલેન્ડર છે અને તેમાં ૧૧૬ પાનાં છે; પણ તેમાંના મોટાભાગનાં પાનાં કોરાં છે. લખાણ મુખ્યત્વે જમણી બાજુના પાને થયું છે. માત્ર ત્રણ જ પાનાં ઉપર ડાબી બાજુનાં લખાણ થયેલું જોવા મળે છે. પ્રમાણની દૃષ્ટિએ પહેલી હાથનોંધ કરતાં આ હાથનોંધમાં ઘણું ઓછું લખાણ થયું છે. આમાં પદ્યલખાણ પણ જોવા મળતું નથી. આ હાથનોંધમાં મુખ્યત્વે બોધદાયક, સ્વરૂપચિંતનાત્મક નાનાં નાનાં સુવચનો છે. તેમાં શ્રીમદે પ્રાપ્ત કરવા ધારેલ ચારિત્રદશા, આચરવા યોગ્ય ધારેલ નિયમો આદિના લખાણોમાં તેમનો ઉચ્ચ આધ્યાત્મિક વિકાસ સાધવાનો મનોરથ સ્પષ્ટપણે જણાય છે. આ હાથનોંધમાં તેમણે છ દ્રવ્ય, વીતરાગપુરુષનો ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૦૨ (હાથનોંધ-૧, ૩૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314