Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot

View full book text
Previous | Next

Page 287
________________ ૨૩૨ બોધરૂપ માર્ગદર્શન આપ્યું છે. પુષ્પમાળાનાં સૂત્રાત્મક વાક્યો વાંચનારને પોતાના કર્તવ્યના વિચારમાં પ્રેરે તેવાં છે. વાંચનારની વિચારશક્તિ ખીલવી, શબ્દસમૂહ પાછળ રહેલા પરમાર્થના પ્રદેશમાં પ્રવેશ કરવાની પ્રેરણા કરે એવાં, તીક્ષ્ય બાણની પેઠે ઊંડાં ઊતરી જાય એવાં તે વાક્યો છે. તેથી અક્ષરે અક્ષરે સુભાષિતમયી આ પવિત્રતાનાં પુષ્પોથી ગૂંથાયેલી “પુષ્પમાળા' આબાલવૃદ્ધ સર્વ કોઈને પ્રાત:કાળે, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ ફરી ફરી ફેરવવા જેવી, મનન કરવા જેવી છે. આટલી નાની ઉંમરે સરળ ભાષામાં વિશદપણે મૂકાયેલા આટલા પ્રૌઢ, પરિપક્વ વિચારો શ્રીમદ્ભી પ્રતિભાની મહત્તા દર્શાવે છે. “પુષ્પમાળા'ની વિશેષતા બતાવતાં પંડિત સુખલાલજી લખે છે – તે કોઈ વિશિષ્ટ સંપ્રદાયને અનુલક્ષીને નહિ, પણ સર્વસાધારણ નૈતિકધર્મ અને કર્તવ્યની દષ્ટિએ લખાયેલી છે. માળામાં ૧૦૮ મણકા હોય તેમ આ કૃતિ ૧૦૮ નૈતિક પુષ્પોથી ગૂંથાયેલી અને કોઈ પણ ધર્મ, પંથ કે જાતિનાં સ્ત્રી કે પુરુષને નિત્ય ગળે ધારણ કરવા જેવી, અર્થાત્ પાક્ય અને ચિંત્ય છે. આની વિશિષ્ટતા જોકે બીજી રીતે પણ છે, છતાં તેની ધ્યાનાકર્ષક વિશેષતા તો એ છે કે તે સોળ વર્ષની ઉંમર પહેલાં લખાયેલી છે. એક વાર કાંઈ વાતચીત પ્રસંગે મહાત્માજીએ આ કતિ વિશે મને એક જ વાક્ય કહેલું, જે તેની વિશેષતા વાસ્તે પૂરતું છે. તે વાક્ય એ કે, “અરે, એ “પુષ્પમાળા' તો પુનર્જન્મની સાક્ષી છે.”૧ બોધવચન સત્તર વર્ષની વય પહેલાં શ્રીમદે બોધવચનમાં આત્મકલ્યાણને લગતાં ૧૨૫ વચનો લખ્યાં છે. આ વચનોમાં કેટલાંક ૧- પંડિત સુખલાલજી, “દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૮૨ ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૦-૧૩ (આંક-૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314