SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ બોધરૂપ માર્ગદર્શન આપ્યું છે. પુષ્પમાળાનાં સૂત્રાત્મક વાક્યો વાંચનારને પોતાના કર્તવ્યના વિચારમાં પ્રેરે તેવાં છે. વાંચનારની વિચારશક્તિ ખીલવી, શબ્દસમૂહ પાછળ રહેલા પરમાર્થના પ્રદેશમાં પ્રવેશ કરવાની પ્રેરણા કરે એવાં, તીક્ષ્ય બાણની પેઠે ઊંડાં ઊતરી જાય એવાં તે વાક્યો છે. તેથી અક્ષરે અક્ષરે સુભાષિતમયી આ પવિત્રતાનાં પુષ્પોથી ગૂંથાયેલી “પુષ્પમાળા' આબાલવૃદ્ધ સર્વ કોઈને પ્રાત:કાળે, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ ફરી ફરી ફેરવવા જેવી, મનન કરવા જેવી છે. આટલી નાની ઉંમરે સરળ ભાષામાં વિશદપણે મૂકાયેલા આટલા પ્રૌઢ, પરિપક્વ વિચારો શ્રીમદ્ભી પ્રતિભાની મહત્તા દર્શાવે છે. “પુષ્પમાળા'ની વિશેષતા બતાવતાં પંડિત સુખલાલજી લખે છે – તે કોઈ વિશિષ્ટ સંપ્રદાયને અનુલક્ષીને નહિ, પણ સર્વસાધારણ નૈતિકધર્મ અને કર્તવ્યની દષ્ટિએ લખાયેલી છે. માળામાં ૧૦૮ મણકા હોય તેમ આ કૃતિ ૧૦૮ નૈતિક પુષ્પોથી ગૂંથાયેલી અને કોઈ પણ ધર્મ, પંથ કે જાતિનાં સ્ત્રી કે પુરુષને નિત્ય ગળે ધારણ કરવા જેવી, અર્થાત્ પાક્ય અને ચિંત્ય છે. આની વિશિષ્ટતા જોકે બીજી રીતે પણ છે, છતાં તેની ધ્યાનાકર્ષક વિશેષતા તો એ છે કે તે સોળ વર્ષની ઉંમર પહેલાં લખાયેલી છે. એક વાર કાંઈ વાતચીત પ્રસંગે મહાત્માજીએ આ કતિ વિશે મને એક જ વાક્ય કહેલું, જે તેની વિશેષતા વાસ્તે પૂરતું છે. તે વાક્ય એ કે, “અરે, એ “પુષ્પમાળા' તો પુનર્જન્મની સાક્ષી છે.”૧ બોધવચન સત્તર વર્ષની વય પહેલાં શ્રીમદે બોધવચનમાં આત્મકલ્યાણને લગતાં ૧૨૫ વચનો લખ્યાં છે. આ વચનોમાં કેટલાંક ૧- પંડિત સુખલાલજી, “દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૮૨ ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૦-૧૩ (આંક-૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy