Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot

View full book text
Previous | Next

Page 279
________________ ૨૨૪ જેઠ મહિનાના એક પત્ર(પત્રાંક-૭૮૧)માં ‘સમયસારનાટક’ના બંધદ્વારની ૧૯મી ગાથાનો અર્થ પણ સમજાવ્યો છે. આઠ યોગદૃષ્ટિની સજ્ઝાયની કડીનું વિવેચન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે લખેલી ‘આઠ યોગદૃષ્ટિની સજ્ઝાય' અંતર્ગત છઠ્ઠી દૃષ્ટિની છઠ્ઠી કડી ‘મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કર્યંત; તેમ શ્રુતધર્મે રે મન દેઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત'નું વિવેચન શ્રીમદે વિ.સં. ૧૯૪૮ના શ્રાવણ માસના ત્રણ પત્રોમાં કર્યું છે. તેમાં તેમણે વિસ્તારથી સમજાવ્યું છે કે ઘર સંબંધી બીજાં કાર્ય કરતાં જેમ પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના ભરતારમાં લીન રહે છે, તેમ સંસારનાં અન્ય કાર્યો કરતાં પણ સમ્યગ્દષ્ટિ જીવનું ચિત્ત જ્ઞાની સંબંધી જે ઉપદેશધર્મ શ્રવણ કર્યો છે તેને વિષે લીનપણે વર્તે છે. તેમણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આપેલ પતિવ્રતા સ્ત્રીના દૃષ્ટાંતને એટલી સુંદર રીતે સમજાવ્યું છે કે તે દ્વારા સિદ્ધાંતનું માહાત્મ્ય સચોટપણે સમજાય છે અને વાંચનારના હૃદયમાં તેની અચળ છાપ પડે છે. શ્રીમદે ભક્તિપ્રધાન દશાએ વર્તવાના લાભ પણ સમજાવ્યા છે. અહીં શ્રીમની અસાધારણ વિવેચનશક્તિનો પરિચય મળે છે. આનંદઘનચોવીસીનું અંશતઃ વિવેચન શ્રી આનંદઘનજી મહારાજે ચોવીસ તીર્થંકરની સ્તવનારૂપે ચોવીસી રચી છે. વિ.સં. ૧૯૫૩માં તે ચોવીસીનાં સ્તવનોમાં રહેલું રહસ્ય વિસ્તારપૂર્વક જણાવવાની શ્રીમદે શરૂઆત કરી હતી. તેમણે પ્રથમ બે સ્તવનનાં અધૂરાં, પરંતુ મનોહર અને તલસ્પર્શી વિવેચન કર્યાં છે. ચોવીસીમાં મંગલપ્રવેશ કરાવનારા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૩૯-૩૪૨ (આંક-૩૯૪, ૩૯૫, ૩૯૬) ૨- એજન, પૃ.૫૭૦-૫૭૫ (આંક-૭૫૩) Jain Education International For Private & Personal Use Only ર www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314