Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાબિત થઈ છે. સંસારનાં દુઃખ દૂર કરવા માટે અસરકારક સફળ ઔષધ તથા ચારિત્રમાર્ગના શ્રેયપોષક તરીકે પુરવાર બનેલ છે. વ્યાખ્યામાં વિવિધ અલંકારમય નિરૂપણ અને વૈરાગ્યરસની મુગ્ધ પ્રચુરતા ભૂતકાળની ભવ્ય દેશનાનું સ્મરણ કરાવે છે. ગહન. રહસ્યમય જ્ઞાનને શ્રોતાઓની રુચિ પારખી તદનુસાર અપાય છે, તેથી જિજ્ઞાસુ આત્માઓમાં ત્યાગ-તપ-સંયમની ભાવના પ્રજજવલિત બને છે. આવા બૈરાગ્ય-રસસભર અને ઉપશમરસયુક્ત જ્ઞાનને શબ્દાંકિતા કરવા ત્રિપુટી મુનિરાજે જે પ્રશસ્ય પુરુષાર્થ કર્યો છે, તે તેમની ગ્રહણશક્તિ તથા નિરૂપણકળાની ઝાંખી કરાવે છે, તેથી તેઓ પ્રશંસાને પાત્ર બની રહે છે. આવાં રસઝરણાંમાં સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા અવગાહન કરી જીવનમાં ઉરચ વિકાસ સાધે અને પ્રભુ વર્ધમાને નિર્દેશિત કરેલ પંથે વિહરે એવી અંતર-અભિલાષા. –ધરણેન્દ્રસાગર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86