Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 60
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ આપણે ગતિ નહીં પણ પ્રગતિ કરવાની છે. આત્માને વિકાસ કરવાને છે. ધર્મ સાંભળીને તેનું મનન કરવાથી શુભ વિચારને જન્મ થાય છે. શુભ ઘુંટાય પછી તેમાંથી આચાર પ્રગટે છે. ૦ બધા જ ઉપદેશ બધાને લાગુ પડતા નથી. પૈસાદારને દાન, તોફાની વૃત્તિઓને કાબુમાં રાખવા માટે, અશક્ત શરીરવાળા માટે શીલ, જેની ઈન્દ્રિયે કાબુમાં ન રહેતી હોય તેને માટે તપ અને આમાંથી જેને કંઈ જ ન હોય અને વૃદ્ધ હોય તેના માટે ભાવ રાખ. ૦ શ્રવણ સ્વાધ્યાયમાં પરિણમી જતાં આચરણ માટે ઉત્તમ બની જાય છે. સાંભળ્યા પછી આચરણમાં આવે તે જ સાંભળેલું સાર્થક થાય છે. ૦ સંસારના રોગને મટાડવા માટે ઉત્તમ આચરણ જ જીવનમાં આવવું જોઈએ. અઢાર પાપસ્થાનક જે દુર થાય તો જ જીવનમાં મધુરતા-સંવાદિતા ઊભી થશે માટે દેશોને જીતવાના છે અને સદ્ગુણેને પ્રાપ્ત કરવાના છે. છે જે ભાગ્યશાળી છે તેને જ સદ્દગુણ પ્રાપ્ત કરવાનું મન થાય છે. જ્યાં સુધી કષાય જીવનમાં પડયા છે ત્યાં સુધી જીવન ઝેર જેવું લાગે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86