Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 73
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેથી માનવી વ્યક્તિ મટી જઈ “વિભૂતિ બની જાય છે. ગુરુની આજ્ઞા એ મંગળમય તત્ત્વ છે. ૦ જેમ ટાંકણું ખાધા વિના પથ્થરમાંથી પ્રતિમા બનતી નથી તેમ ગુરુના ઉપદેશ વિના દાનવમાંથી માનવ બનતો નથી. ગુરુને ઉપદેશ એ ડાયનેમિક ફોર્સ છે. તેથી ગતિ થઈ શકે છે. ગુરુ આજ્ઞા એ રસાયણ છે. તેથી જગતને સામાન્ય માનવી અસામાન્ય બની શકે છે. તે પ્રભુતાને માર્ગે જઈ શકે છે. પ્રભુતાઈ પામી શકે છે. માનવમાં રહેલ દિવ્યતાનું અનેરું તત્ત્વ ગુરુ-સમાગમથી બહાર આવે છે. ૦ પ્રભુની પૂજાનું ફળ એટલે ચિત્તની પ્રસન્નતા ક્યાં જવું છે તે પહેલાં નક્કી કરીને જ પછી ચાલવાનું શરૂ કરવાનું છે. આત્માની ઓળખ થયા પછી જીવનમાં અવગતિની ઓટ આવવી અશક્ય બનશે અને ભરતીના ભવ્ય ભાવ સાથે દયેયપ્રાપ્તિ થશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86