Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં જકારથી ભક્તિની પ્રાર્થના કરે છે. તારી ભક્તિ મારા માનસમાં–હદયમાં ભવભવ નિશ્ચલ રહો. તે પહાડ જેવી અડેલ રહે. ભક્તિ મળી એટલે મોક્ષ સ્વયં મળી જશે. આત્મસાત્ પરમાત્માની ભક્તિ થવી જોઈએ. તેમ થશે તે ત્યાં ચમત્કાર સર્જાશે. મહારાષ્ટ્રમાં એકનાથ નામના સંત થઈ ગયા. પરમાત્મભક્તિમાં ઓતપ્રેત. તેમને ચોરી, જૂઠ, હિંસા, કેઈની ખબર નહી. તેમને પરમાત્મા પર અચિંત્ય ભાવ. તેમની પ્રામાણિકતા તેટલી જ કદી જૂઠું ન બોલે તેવી તેમની પ્રતિષ્ઠા. તેમના ગામના એક ભાઈને પરદેશ જવાનું થયું. તેની પાસે પારસમણિ હતું. હવે તે સાચવવા આપ કેને ? સાથે લઈ જાય ને ગૂમ થાય તો? અહીં કોઈને આપે ને તેની બુદ્ધિ બગડે તે ? છેવટે વિચાર કરી નકકી કર્યું કે આ પારસમણિ તે એકનાથને સાચવવા આપ. તેણે એકનાથને વિનંતી કરી. તે એકનાથે કહ્યું : ભાઈ, હું ક્યાં સાચવું ? આ પરમાત્માના ચરણે મૂકી દે. આવે ત્યારે ત્યાંથી લઈ લેજે. તેણે તેમ કર્યું. પૂજારી ભગવાનનાં ફૂલે ઉતારી નદીમાં નાખી આવે. એકવાર ફૂલે સાથે પેલે પારસમણિ નદીના પાણીમાં ગયો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86