________________
શ્રી ૫ મું ષ ણ ૫ સં હ
૨૨૯ દેવું જ જોઈએ. બ્રહાચર્ય પાલવું વિગેરે ઉત્તમ કાર્યોમાં પ્રવર્તવું, વ્યાપારાદિક આરંભેના કાર્ય છેડી તેમજ કષાચાદિ ક્રોધ-માન-માયા-લોભાદિક કર્મ બંધનના હેતુઓ સમજી તેમને ત્યાગ કરી સમતા ધારણ કરવી. સર્વ જીવે ઉપર–મૈત્રી કરૂણા અમેદ અને માધ્યસ્થ આદિ ચાર ભાવનાઓનું સ્વરૂપ સમજી તે પ્રમાણે વર્તવું. આઠે દીવસ સદગુરૂ સમીપે વ્યાખ્યાનાદિ સાંભળવું, તેમાં પ્રથમના ત્રણ દીવસમાં એટલે શ્રાવણ વદ. ૧૨–૧૩-૧૪ ના દીવસમાં અઠ્ઠાઈનું વ્યાખ્યાન સાંભળવામાં આવે છે. આ પર્વ કેવી રીતે આરાધન કરવું વિગેરે હકીકત શ્રીવીરપ્રભુને શ્રેણિક રાજાએ પુછવાથી ગજસિંહ રાજકુમારે આ પર્વનું આરાધન કર્યું તેના પ્રભાવથી દેવગતિ છેવટે મેક્ષ આદિ મેળવ્યા તેમજ સ્વામીભાઈની ભકિતવિશે ઉદાયી રાજા આદિક મહાપુરૂષોએ આ પર્વનું આરાધન કરવાથી કેવા ઉત્તમ પ્રકારના લાભ મેળવ્યા વિગેરે અધિકાર આવે છે. અમાવાસ્યાથી સવાર સાંજ બે વખત કલપસૂત્ર વંચાય છે. તેનાં આઠ વ્યાખ્યાન અમાવાસ્યા પડ-બીજ ને ત્રીજ સુધીમાં બે બે વખત થઈને આઠ વ્યાખ્યાન અને ભાદરવા સુદ ૪ બારસા વંચાય છે. એ નવમુ વ્યાખ્યાન. તેમાં પહેલામાં ધર્મસારથિ પદને અધિકાર, બીજામાં ચાર સ્વપ્નને, ત્રીજમાં બાકીના સ્વપ્નને તથા તેના ફલ વિગેરેને અધિકાર, ચેથામાં વિર ભગવાનને જન્માધિકાર, પાંચમામાં દિક્ષા અધિકાર, છઠ્ઠામાં મેક્ષાધિકાર, સાતમામાં ત્રેવીશેજિનને અધિકાર, આઠમામાં સ્થવિરાવલી એટલે આ ચાર્યોની પટ્ટપરંપરા અને તે કેવા પ્રભાવિક હતા તે સંબંધી અધિકાર આવે છે. નવમું વ્યાખ્યાન બારસાસૂત્ર પુરૂં