Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

View full book text
Previous | Next

Page 29
________________ [૧૬] શ્રી અંતરિક્ષ પછી ચોમાસું પૂર્ણ થયે, એક સાધુને મારી પાસે મૂકીને આચાર્ય મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. પછી ગુરુમહારાજે બતાવેલી વિધિપૂર્વક પદ્માવતી મંત્રનું આરાધન કરવાથી પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ આવીને વિસ્તારથી નીચે મુજબ મને વૃત્તાંત કહ્યો : “હરીવંશમાં ઉત્પન્ન થયેલા તથા કાચબાના લાંછનવાળા શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના શાસનમાં રાવણ નામને મહાબલવાન પ્રતિવાસુદેવ થયે હતે. એક વખત તેણે પિતાના બનેવી ખરદૂષણ રાજાને કઈક કાર્યોથે શીધ્ર કર્યો હતે. પાતાલલંકાને અધિપતિ તે ખરદૂષણ રાજ પણ વિમાનમાં બેસીને પક્ષીની જેમ આકાશમાર્ગે પ્રયાણ કરતે ચાલતાં ચાલતાં અનુક્રમે અનેક નગર, દેશ, વનખંડ તથા પર્વતને ઓળંગીને ભજનના અવસરે વિગલી દેશમાં આવી પહોંચ્યું. ભજનને અવસર થયે હોવાથી ત્યાં ભૂમિ ઉપર ઉતરીને સ્નાન કરીને પૂજાપાત્ર હાથમાં ધારણ કરીને ખરદૂષણ રાજાએ રસેઈઆને જિનચૈત્ય (પ્રતિમા) લાવવા માટે કહ્યું. સાથે જિનપ્રતિમા લાવવાનું ભૂલી ગયે હોવાથી ભયભીત બનેલા રસઈઆએ હાથ જોડીને પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામિન્ ! ગૃહચૈત્ય(ઘરમંદિર) તે હું પાતાલલંકામાં ભૂલી ગયે છું. આ સાંભળીને તરત જ રાજાએ વાલ(રતી) છાણ ભેગાં કરીને પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બનાવી. અને નમસ્કાર મહામંત્રથી પ્રતિષ્ઠા કર્યા બાદ પૂજા કરીને આશાતના ન થાય તે માટે પાસેના કૂવામાં મૂર્તિને પધરાવી દીધી કૂવામાં રહેલા દેવે . તે પ્રતિમાને પડતાંની સાથે જ ઝીલી લીધી અને વા જેવી દઢમજબૂત કરી દીધી. ખરદૂષણ રાજા પણ ભેજન કરીને ત્યાંથી નીકળે અને રાવણનું કાર્ય કરીને લંકા નગરીમાં પહોંચી ગયે. ત્યારપછી ઘણા કાળ સુધી કૂવાના દેવે ભાવિતીર્થકર શ્રી પાર્શ્વ નાથ ભગવાનની પ્રતિમાની બહુ ભક્તિપૂર્વક પૂજા કરી

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104