Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

Previous | Next

Page 35
________________ [૨૨] શ્રી અંતરિક્ષ પછી આચાર્ય મહારાજની સ્તુતિથી અધિષ્ઠાયક દેવે જેમાં સંક્રમણ કરેલું છે એવા (દેવાધિષ્ઠિત) શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાને સર્વજનના દેખતાં આકાશમાંથી ઉતરીને શ્રાવકે બંધાવેલા ચૈત્યમાં સ્વયં પ્રવેશ કર્યો. ત્યાં પણ ભૂમિથી સાત આગળ ઊંચે અદ્ધર રહેલા ભગવાનની વિ. સં. ૧૧૪૨ ના મહા સુદ પંચમી ને રવિવારને દિવસે વિજય મુહૂર્તમાં આચાર્ય મહારાજે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી. સાથે ભગવાનની આગળ ડાબે પડખે તીર્થરક્ષા માટે આચાર્ય મહારાજે શાસનદેવની પણ સ્થાપના કરી. તે વખતે ઇલચરાજાએ ભગવાનના મસ્તક ઉપર અનેક પ્રકારન રત્નથી સુશોભિત મુગટ ચડાવીને, કાનમાં કુંડલે પહેરાવીને, કપાલમાં હીરાનું તિલક ચડાવીને, અમૃતવષ ચક્ષુ સ્થાપન કરીને, કંઠેમાં મેતીને હાર પહેરાવીને, અંગે સેનાની આંગી ચડાવીને, મસ્તક પાછળ ભામંડળ સ્થાપન કરીને, મસ્તક ઉપર &ત છત્ર બાંધીને, સંઘવીની માળા પહેરીને તથા ગુરુમહારાજને વાસક્ષેપ મસ્તક ઉપર નંખાવીને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારી આરતી ઉતારી. પછી જિન-પૂજા માટે રાજાએ ત્યાં એક નગર વસાવ્યું અને શ્રીમાન(પ્રભુ)ને વાસ થયે હેવાથી તેનું શ્રીપુર એવું નામ રાખ્યું. જ્યાંથી ભગવાન નીકળ્યા હતા તે કૂવાના પાણીથી બધાને ઉપકાર થાય તે માટે રાજાએ ત્યાં કુંડ બંધાવ્યું. રાજાની વિનંતિથી ત્યાં ચાતુર્માસ કરીને પછી ભવ્યજીને પ્રતિબોધતા ગુરુમહારાજ મલધારી શ્રી અભયદેવસૂરિજી અન્યત્ર વિહાર કરી ગયા. (આ પ્રમાણે અંતરિક્ષજી સંબંધી સર્વ ઈતિહાસ જણાવીને પદ્માવતી દેવીએ ભાવવિજયજી ગણુને કહ્યું કે, માટે હે ભાવવિજય! તું પણ તે જ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુજીનો આશ્રય લે કે જેથી તારી ચાલી ગયેલી બંને આંખે તને ફરીથી પ્રાપ્ત થશે.”

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104