Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જ્ઞાનચર્યા.
-
૧૯૫
“પ્રતિભાની વિશેષતા–ઉજત ભાવ અને વિચાર કાવ્યમાં ખાસ ઉતરવા જોઈએ. વળી અભ્યાસ અને મનનની જેમ ગધ લેખ લખવામાં જરૂર રહે છે તેમ માત્ર કલ્પનામય વ્યાપારોમાં અને શબ્દોની ગમે તેવી ગોઠવણીમાં ચિત્ત ન રાખતાં અભ્યાસ અને મનન, કાવ્ય કરતાં પહેલાં પણ હેવાની પૂરી જરુર છે.”
પુસ્તક પરીક્ષા–કેટલાક નથી અને પિતાનાં પુસ્તક અવલોકન અર્થે મળે છે તે માટે તેમને ઉપકાર માનીએ છીએ અને કેટલાક તરફથી ઉપકાર અર્થે મળે છે તે માટે તેમને સર્વથા ધન્યવાદ આપીએ છીએ. જે અવલોકન અર્થે મોકલે છે તેમાંથી કોઈ કોઈ કદાચ એવો પ્રશ્ન પૂછે છે કે “હ, સુધી કેમ અભિપ્રાય આવ્યો નથી?” માટે તુરત અભિપ્રાય લઇ તે અંક અમને તાકીદ બીડશે. તે આ સજજનને અમારે વિનતિ પૂર્વક કહેવાનું કે અમો તરફ જે કંઇ અને તેને અભિપ્રાય લે અને છેવટે કંઈ નહિ સ્વીકાર જણાવ એ અમારી ફરજ , પરંતુ અધિપતિ સાથે કેટલો બધો બોજો હોય છે તે ધ્યાનમાં રહેતે હરિયાદો થોડી થાય એમ અમારું માનવું છે. વળી એક પુસ્તકને અભિપ્રાય ઉપર ઉપરથી લખી નાંખવાને જ હેય તે તે પછી તેવા અભિપ્રાયની કિંમત જ નથી એમ અમે સમજીએ છીએ. બીજાઓ ભલે તેમ કરે, પરંતુ માસિકમાંના અભિપ્રાયોમાં ગુણવત્તા અને શિષ્ટતા હોવી જોઈએ તેથી યોગ્યયોગ્યતાને શુદ્ધી અશુદ્ધિને–વગેરેને વાંચી મનનથી તોલ કરવાની પૂર્ણ : ૨ રહે છે. તો ધીરજ રાખે બની શકશે ત્યાં સુધી અમારો અધીન અભિપ્રાય છે વશે એમ સમજાવવાની વધુ જરૂર રહેતી નથી.
શેઠ ખેતશી ખીઅશી, જે. પી ની ઉદારતા–જૈન કેળવણી ખાતું કે જે સંવત ૧૮૬૪ માં જામનગરની આ મણી બાજુએ ૬૪ ગામોમાં ખેતીને ધંધો કરતા આશરે ૧૩૦૦૦ વીસા ઓસવાલ : કોને ધર્મ પમાડવા અર્થે સ્થાપિત થયું હતું તે સં. ૧૮૬૮ માં બંધ થયું હતું, પણે આ શેઠ તે સાલથી નિભાવી લેઇ અત્યાર સુધી દરવર્ષે મદદ તેમાં આપતા રહ્યા છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે, આ સંબંધી વ્યવસ્થા જામનગરના વકીલ રા. સાંકળચંદ નાં - ગુજી શાહ B. A. LL. B. સેક્રેટરી ડબા સંઘ ફંડ સારી રીતે કરે છે અને તેમની પાસેથી આ માટેની દરેક હકીકત મળશે.
– તંત્રી
જ્ઞાનચર્ચા.
પ્રસ–સાંખ્ય દર્શન, યોગ અને વેદત દર્શનની એકતા કોઈ પણ રીતે થઈ શકતી હોય તે તદ્દન ટૂંકામાં જણ ૨ જી.
આ પ્રશ્ન રા. રા. મોતીભાઈ નથુરામને છે. ઉત્તર-સ્કૂલ દષ્ટિએ જોતાં સાંખ્ય શાસ્ત્રમાં જીવ અનંત કહેલા છે; યોગ શાસ્ત્રમાં : પુરૂષ વિશેષ કશ્વર કહેલો છે અને તે શાસ્ત્રમાં માત્ર અદંત જ્ઞાન એટલે ચૈતન્યસત્તા સર્વત્ર કહેલી છે એ ભેદ છે. સૂક્ષ્મ વિચાર કરતાં સાંખ્ય, યોગ અને વેદાંત એકજ જણાય