Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૫૪
શ્રી જન
. ક. હેરલ્ડ.
-૧૧૧
૧૫-૧~--
ત્યાગ કોઈપણુ અપેક્ષાએ સંમત થાય તો તે અપડતાએ આ શરીરને ઘાત પણ સંમત થાયજ, આત્મઘાતી તે મહાપાપી એવી ઉક્તિ છે. તેમાં ઘણું વજૂદ છે. મનુષ્યદેહથી મુક્તિને નરક બંને પમાય છે, સત અને અસત બંનેમાં યુક્ત થઈ શકાય છે. અસતમાં રત થયેલો દેહ કે તેની ઇન્દ્રિયોને નાશ કરી અસતથી દૂર રહેવા કરતાં જે વિકાર, વાસનાથી અસતમાં અભિભૂત થવાય છે તે જ વિકારનો નાશ કરે વધારે યોગ્ય અને ખ રામબાણ ઉપાય છે. “પછી મૂલ” નાસ્તિ કુતો શાખા-મૂલ ગયું તે પછી શાખા ક્યાંથી સંભવે ?-તેમ વિકાર ગયો તો વિકારજન્ય ઇન્દ્રિય પ્રવૃત્તિ ક્યાંથી સંભવે ?
હવે ગીપર આવીએ. તેણી યોગીની આંખે પર અન્ય આસક્ત થઈ તેમાં યોગીને શું વાંક? અને મેગીને સત્યથી ચલાયમાન થવાનો ભય કેમ રહી શકે ? સુદર્શન શ્રાવકની કથા યાદ છે ? ન વાંચેલી હોય તો શો; સાર જણાવું છું કે તે બહું રૂપવંત શ્રાવક હતો. તેના પર રાજાની રાણું મેહિત થઈ અને દાસદારા પિતાના વિલાસ માટે બોલાવી મંગાવ્યો અને તેની સાથે ખૂટવા કહ્યું. ન ખૂટે તે પોતે તુરતજ રાજાને બોલાવી પકડાવશે ને કહેશે કે જનાકારી મા આવેલ છે એમ જણાવી દેતાં દંડ દેવરાવશે, નદિત તે સુખેથી વિલાસ કરી પી જશે. ત્યારે સુદર્શને શું કર્યું? તે જણાવી દીધું કે તે નપુસક છે. આની પ્રતીતિ કરવા તેમજ લલચાવવા જનનેન્દ્રિયન સ્પર્શ વારા ફરતી કરવા માંડ્યા છતાં મનેનિઝ, એટલો બધે જબરે કે દેહનું એક રૂંવાડું ફરકયું નહિ. જાણ્યું કે તેમજ છે એટલે દર્શનને મહેલમાંથી જવા દીધો. આ મનોનિગ્રહ રાખનાર ખરા ગી છે. આપણી ચર્ચાના યોગીએ પિતાના ચક્ષને ફોડી નાંખ્યા તે પિતાના લલચાવાના ભયને લીધે, ય હિત થયેલી સ્ત્રીને મોહમાંથી દુર કરવા અર્થે યા બંને પ્રયોજન અર્થે; પરંતુ તેમને પાને બદલે એટલે જે આંખો મોહન નિમિત્તનું કારણ થઈ છે તેને નાશ કરવાને બદલે વિકારી સ્ત્રીને વિકારજ-ઉપાદાને કારણે કાઢવામાં આવ્યો હત-બીજા જ માર્ગથી, તો તે વધારે યોગ્ય ન થાત ? કારણકે ધીપુરુષનું લક્ષણ એક વિદ્વાને એવું આપ્યું છે કે –
વિકાર હૈત સતિ વિક્રિયત, યેષાં ન ચેતાંસિ ત એવ ધીરા: -વિકારના હેતુ હોવા છતાં જેનાં ચિત્ત વિકારને પામતાં નથી તે જ ધીર પુરૂષ છે
આંખ, કાન, કે અન્ય ઇન્દ્રિય જે રસ્તે વાળવી હોય તે વાળી શકાય છે કારણ કે ગમે તે પણ તે નિમિત્ત છે, જ્યારે તેને વાળવામાં રહેલ સામર્થ્ય તે આત્માનું જ સામર્થ્ય છે. એક પુરૂષ એક સ્ત્રીને પિતાની મા બહેન સમાન લેખે છે, જ્યારે બીજો તેને જુદી રીતે ગણે છે. એમાં રહેલ ફેરફાર શેને આભારી છે ? માટે તેજ ઈદ્રિયને નાશ કરે એ કઈ રીતે કલ્યાણકારી નથી. તે બાધક થતા હોય તો તેને સાધ્ય કરવા અને તેમ કરવા જતાં બાધક જ માલુમ પડતા હોય તો તેમાં તે ઇંદ્રિયોને વાંક નથી પરંતુ આત્મા નેજ વાંક છે-તે ઇદ્રિય ધરાવતી વ્યક્તિને વાંક છે.
તેવી જ રીતે આ દેહજ એટલે પિતાને દેહજ બાધક થતું હોય એવું લાગે તે તેને નાશ કરવો કે નહિ ? એ પ્રશ્નને ઉત્તર પણ આમજ પરિણમે છે.
હવે બીજા પ્રશ્ન લઈએ.