Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
^^^^^^^^^^^^^^^^^^^^
કાલસ્વરૂપ,
૨૮૩
manman रामनाम्नः समुत्पन्नः प्रणवो मोक्षदायकः । रूपं तत्वमसश्चासौ वेदतत्वाधिकारिणः ॥
અય-રામનામથી ઉત્પન્ન થયેલ કાર મોક્ષદાયક છે વળી વેદના અધિકારીઓના સહમતિ રૂપ છે. અર્થાત આત્મા છે એજ રામ છે.
અપૂર્ણ
કાલસ્વરૂપ.
આ જગતમાં કંઈપણું નાશ પામતું નથી એ જેટલી વૈજ્ઞાનિક સિદ્ધ થયેલી બીના છે તેટલી જ સિદ્ધ થયેલી બીના એ છે કે જ' વસ્તુને નિરંતર ફેરફાર થયાંજ કરે છે–પર્યાય ફર્યા જ કરે છે. કહ્યું છે કે –
समए समए णंता परिवतो र वणमाईया। दव्वाणं पज्जाया होरत्तं तत्तिया चेव ॥
–પંચ કલ્યભાષ્ય. – સમયે સમયે દ્રવ્યના વર્ણ વર્ણ ગંધ વગેરે અનંત પર્યાય બદલ્યાંજ કરે છે, અને અંધારાગ-રાત્રિ દિવસમાં તે પ્રમાણે તેટલા બદલે છે.
બદલવામાં પર્યાની વૃદ્ધિ પણ થાય અને હાનિ પણ થાય; અને તે પ્રમાણે કાલના ભાગ પડે છે એટલે કે જેનાલમાં પદાર્થોને તે તે પર્યાયે વડે પ્રથમ સમયથી આરંભીને નિરંતર વધાર્યા કરે તેનું નામ ઉત્સર્પિણું, (૩યત પ્રથમ કથા વાસ્થ નિરંતર વૃદ્ધિ નથતિ તૈતૈ: વાન-રુતિ ઉi; અને તેથી ઉલટું એટલે જેમાં હાનિ થાય તે અવસા પૈણું.
હવે કાલનું પ્રમાણ અનંત છે, તે પણ તેની સંખ્યા–હદ નિર્માણ કરવા માટે અમુક ભાગ કયો છે, તેમાં મોટામાં મોટો અને હદમાં આવી શકે તેવો ભાગ કલ્પી તેનું નામ “કાલચક–કલ્પ રાખ્યું. ચક્ર એટલે પૈડું એટલે કા તને પૈડાનું રૂપ આપ્યું. પૈડાના આરા જોઈએ તે કાલચક્રના બાર ભાગ પાયા, તેમાંના દરેકનું નામ ક્રમ પ્રમાણે પહેલો, બીજે એમ આર–આરે રાખ્યું. આ રીતે દ્વાદશાર કાલચક્રના દરેક આરા સરખા નથી, પણ તેમાં એવી ગોઠવણ છે કે પહેલા છ આરાની જેટલી કાલસ્થિતિ તેટલી જ બીજા છ આરાની