Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
તંત્રીની નોંધ,
૩૪૭
અજમેર. આ ચુંટણી થયા પહેલાં ડા. મુંદરલાલે જણાવ્યું હતું કે હિંદુ યુનિવર્સિટીની કેટમાં ત્રણ જાતના વર્ષના સમાવેશ થાય છે. (૧) એકસઓફિસીઓ મેમ્બરો (૨) ફંડ ભરનારા અને તેના પ્રતિનિધિઓ (૩) ચુંટાયેલા સભાસદો. બીજા મેંબરો ચુંટાય તેમાં જેનેએ પાંચ અને શિખોએ પાંચ એમ દરા નામ ચુંટવાનાં છે. આ દશ જેઓ નાણું ભરનારાં તથા તેના પ્રતિનિધિઓમાંથી આવે તથા જેઓ યુનિવર્સિટી એકટના ૧૪ માં સ્ટેટની બીજી કલમોની રૂએ ચૂંટાય તે સિવાયના એટલે તે ઉપરાંત છે. કોર્ટનું પહેલું કાર્ય પિતાનું બંધારણ ૧૪મા ઍમ્યુટ પ્રમાણે મેંબર ચુંટયા માટેની ચુંટણી માટે ગોઠવણ કરવાનું છે. આ રીતે મેંબર ચુંટાય કે પછી કેટે દરેક ધર્મને લગતી જુદી કેળવણી-શિક્ષણ આપવા માટે ઘટતી ગોઠવણ કરશે.
આ યુનિવર્સિટી એકટ બીજી અકટોબર ૧૯૧૫ ના ગવર્નમેંટ ગેઝેટઓફ ઈડિયાપાર્ટ ૪થામાં છપાયો છે.
આ રીતે આપણી વેતામ્બર સમા માંથી જે બે મેંબરો ચુંટાયા છે તે હાલના સંજોગમાં યોગ્ય છે. બાબુ નિહાલચંદ શાહ બી. એ. એલ. એલ. બી. રીટાયર્ડ સબજાજ છે અને બનારસનાજ રહેવાસી છે. વળી તેમણે ગવર્નમેંટ સર્વિસ ૩૦ વર્ષ સુધી ઘણી સારી રીતે બનાવી છે. તેઓ સંયુક્ત પ્રાંડ, બંગાલ અને રજપુતાનામાં સુપ્રસિદ્ધ છે. બિકાનેર રાજ્યમાં તેમણે બે વર્ષ સુધી ચીફ જજ તરીકે કાર્ય બનાવ્યું છે. બીજા મુંબઈના શ્રી. યુત મકનજી જૂઠાભાઈ મહેતા. બી. એ, . 1. એલ. બી. હોવા ઉપરાંત બેરિસ્ટર છે અને મુંબ માં પ્રેકટીસ કરે છે. છેલ્લી કેન્ફરન્સ રીસેપ્યાન કમિટીના એક સેક્રેટરી તરીકે કુશ ળતાધી. કાર્ય બનાવ્યું છે અને તે પહેલાં જ રિન્સના સ્થાનિક ઍસિસ્ટંટ જનરલ સેક્રેટરી હતા. આ બન્ને ગૃહસ્થો આ પદને ય ય બનવા કોર્ટની દરેક સભામાં હાજરી આપી નર્મના તથા કોમના લાભ સાચવશે - અમે ખાત્રી ભરી આશા રાખીએ છીએ.
આ ઉપરાંત જૈન સાહિત્ય અને શાનનાં પ્રવીણ એવા જેનેને સેનેટમાં મેંબર તરીકે લેવાનું વાઇસચેન્સેલરે કબુલ્યું છે. આ સેને ર તરીકે યોગ્ય ગૃહસ્થોની ચુંટણી કરવામાં આવશે. એમ અમે ઇચ્છીએ છીએ. ફરી એ રાજા સત્યાનંદ પ્રસાદ સિંહ કે જેમણે ઘણું ઉદારતા અને શાસનપ્રેમ બતાવેલ છે તેમના અમે પ્રશંસા કરીએ છીએ.
કરલ નામની તામિલ જૈન કૃતિનું અંગ્રેજી ભાષાંતર–તિરૂવલ્લુવર તામિલ કવિ થઈ ગયે. તે જૈન હતો અને તેની કુલ નામની કૃતિ એટલી બધી પ્રતિષ્ઠિત છે કે તામિલ ભાષા બોલનાર સર્વ તેને અતિ આનંદ અને ઉત્સાહથી વાંચે છે, મનન કરે છે અને તેમાંથી દિલાસો મેળવે છે. ઉત્તર હિંદમાં જન્મ તુલસીકૃત રામાયણ, મહારાષ્ટ્રમાં જેમ તુકારામના અભંગ ને રામદાસ સ્વામીનું દાસ મ તામિલ દેશમાં કુલ આબાલવૃદ્ધ વાંચે છે અને તેની છાપ પિતાના વર્તન પર પાડે છે. આ ગ્રંથમાં મંગલાચરણમાં જિન ભગવાનની સ્તુતિ છે ને પછી જૂદા જૂદા નીતિના . " પર વિચાર છે. આ ગ્રંથનું અંગ્રેજી ભાષા