Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
શ્રી રામે તૃષ્ણાપિ તાડીયા રાક્ષસીને મારી હતી કે જે તાડીકા બધાનું ભક્ષણ કરી જતી હતી જડમતિ રૂપિ અહલ્યાને, શ્રીરામના ચરણાવિંદના સ્પર્શરૂપ સાક્ષાત્કાર થવાથી તે ચૈતન્યમય બની ગઇ અર્થાત્ જડતા ગઇ અને શુદ્ધતા પ્રાપ્ત થઈ.
૩૮૬
જનક વિદેહી એટલે શુદ્ધસ્વરૂપની દીકરી બ્રહ્મવિદ્યા-સીતાને શુદ્ધસ્વરૂપ વિવેકી શ્રીરામ પરણ્યા હતા અર્થાત્ ગ્રહણ કરી હતી.
માહરૂપ ધનુષ્ય કે જે રાવણાદિક જ્ઞાનીઓથી ન ભાગ્યું તે શુદ્ધજ્ઞાન વિવેક સ્વરૂપ શ્રીરામે ભાંગ્યું. માહ ભાંગ્યા એટલે બ્રહ્મવિદ્યા આત્મવિદ્યા પ્રાપ્ત થઇ અર્થાત્ સીતાએ વર માળા પહેરાવી. મેાહને તા વિરલાજ તાડી શકે છે માટે તે માહરૂપી ધનુષ્ય ખીજાઓથી તા ઉભું પણ થયું નહિ. નાન સહવર્તીમાન દાંધી-રાવણે તે મેહરૂપી ધનુષ્ય જ્ઞાન બળે ઉભું કર્યું, પણ તેનામાં વિવેક નહિ હોવાથી, તે મેાહધનુષ્ય પાછું પડી ગયું એટલે અભિમાનને લીધે તેને પાછા મેાહ થયા. છેવટે શ્રીરામે મેાહને તાડી નાંખ્યા. માહુ તુટે તેાજ અધ્યાત્મવિદ્યા સંપ્રાપ્ત થઇ શકે છે. માહવાળ તે અધ્યાત્મવિદ્યા આપવી જોઇએ નહિ, માટે જનક વિદેહીએ--શુદ્ધઅધ્યાત્મ વકતાએ અધ્યાત્મવિદ્યા—સીતા—તે, માહ ઞાડનાર આત્મારામને આપી.
તામિસ વૃત્તિ કૈકેયીએ અંધકાર કરી—વ્યાપી—તે, દશરથ–દેહને-તે માહિત મૂતિ કર્યું, તામસિ વૃત્તિ માટે કહ્યું છે કેઃ— अन्धीकरोति भुवनं बधिरीकरोति धीरं सचेतनमचेतनतां नयेत् क्रुध् कृत्यं न पश्यति नचात्महितं शृणोति धीमान धीतमपि नप्रतिसंदधाति ||
અઃ——ક્રોધરૂપ તામસિવૃત્તિ લેાકેાને અધ કરે છે, પડિતાને બધિર કરે છે, સચેતનને અચેતન કરે છે. જે મનુષ્યને આવે છે તે કાર્યને નથી દેખતા, હિતને નથી જોતે, અને પંડિતનું જ્ઞાન પંડિતને નથી રહેતું.
એ પ્રમાણે ક્રોધ સ્વરૂપ તામસિવૃત્તિએ દશરથ-દેહ-કે જે વિદ્યામય હતા, તેને ભ્રમમાં નાંખી સાક્ષાત્કાર થએલ આત્મારામના વિયેાગ કરાવવા પિ વનવાસ આપ્યા. વિવેકરૂપિ રામ તથા વૈરાગ્યરૂપિ લક્ષ્મણ તથા અધ્યાત્મ વિદ્યારૂષિ સીતાજી એ સર્વે તામસિવૃત્તિ વ્યાપવાથી વનમાં ગયાં. એ વિયાગથી દશરથ-દેહ મૃત્યુ પામે છે.
ગાદીએ બેસવા રૂપિ સિદ્ધ પદવી મેળવવી મુશ્કેલ છે સિદ્ધ્પી મળવાની તૈયારી થઇ રહી હતી, પણ તામસ વૃત્તિ હતી તેથી તે સિદ્ધપદવી મળી શકી નહિ. તે વૃત્તિના ભય કરવા માટે પ્રયાગરાજદિતિરૂપિ સંતસમાગમમાં સ્નાન કરવાની જરૂર છે, સત્સંગ સિવાય તામસાદિમળ જતા નથી, માટે તે મળ દૂર કરવા વાસ્તે સત્સંગ કરવા આત્મારામ ગયા– સત્સંગ કરતાંજ દશરથ-દેહથી પૃથકત્વ સમજાયું પણુ અભિમાન, ક્રોધ, લેાભ, મદ, મત્સર, વગેરે શત્રુએ પ્રબળ હાય છે ત્યાંસુધી જ્ઞાન થયાં છતાં સિદ્ધદશા પમાતી નથી. એ અભિ માનાદિત જીતવાના ઉપાય મન છે, કારણ કે મન જ ભમાવે છે. મનને મારવા માટે પ્રથમ પ્રયાગરાજ રૂપિસંત સમાગમ સમીપ ગયા. ત્યાં ગંગા, યમુના અને સરસ્વતિના સંગમરૂપિ ઇંડા, પિંગળા અને સુષુમ્હાના સંયમરૂપ ત્રિકુટીમાં સ્નાન કર્યું, પછી ચિત્તશુદ્ધિ રૂપિ ચિત્રકુટમાં ગયા. એ સવ મહામાયાના મેહમાં ન સપડાવા માટે છે. મહામાયાને માહ અતિ બળવાન છે. શ્રીમાર્કંડેય પુરાણમાં કહ્યુ છે કેઃ—