Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 229
________________ ૩૮૫ ~ ~ આત્મ દર્શન નામ અને રૂ૫ની ગતિની કથા બની શકતી નથી, સમજતાં સુખ આપે છે. પણ તે સુખનાં વખાણ થઈ શકતાં નથી.” રામનામના જ રૂપિ આત્મારામામાં વૃતિ રાખવાથી અકથ અનુપમ સુખ મળે છે. તુલસીદાસજી કહે છે કે " ब्रह्म मुखहि अनुभवहिं अनुपा, अकथ अनामय नाम नरुपा" અંતત્તિદ્વારા વૈરાગ્યવંત પુરૂષ મોહ રાત્રિમાં જાગવાથી, આત્મારામમાં વૃત્તિ રાખવા. થી બ્રહ્માનંદને અનુભવ કરે છે, કે જે ઉપમા રહિત, અકથનીય, રોગરહિત, અને જેમનાં નામ અને રૂપ નથી, શુચૈિતન્ય- નિણ; રામ–સગુણ આત્મારામ, નૃસિંહ રૂ૫ છે હિરણ્યકશિપુએ કલિકાલ છે, જાપતે પ્રહલાદ છે, કલિકાલ રૂપિ અવિદ્યાને નાશ, અધ્યાત્મજ૫ રૂ૫, રામનામ રૂ૫ સિંહજી કરે છે અર્થાત આત્મસાક્ષાત્કાર કરનાર-પ્રહલાદજી-અવિદ્યાના ભયથી બચે છે. શંકર પાર્વતી, કાગભુશુંતિ, યાજ્ઞવલ્કય, ભરદ્વાજ, વાલ્મીકિ, વગેરે તાવતાઓ સમાન બુદ્ધિવાળા સમદર્શી, તથા આત્મજ્ઞાની હતા. રામાયણને ગુહ આરાય સમજવાની શક્તિ કલિમલ-અવિદ્યા-પ્રસિત મૂઢજીમાં નથી. અધ્યાત્મ કથનરૂ૫ રામકથા તે આકાશ ગંગા છે અને ચિત્રકુટને નિર્મળચિત્ત જાPવું અને સુંદર સનેહને જ સીતારામના વિહારનું વન જાણવું સીતારામના વિહાર રૂપી વનને જ્ઞાનદષ્ટિએ જેવાથી જ મન પ્રસન્ન થાય છે. ધૂળ, સૂક્ષમ અને કારણ રૂપિ ત્રણ દેહને જ્ઞાનદષ્ટિકપિ ત્રીજા નેત્ર વડે પ્રજાળનાર શંકર ત્રિપુરારિ કહેવાય છે ત્રિપુરારિ એટલે ત્રણપુર રૂપ શરીરથી પર અર્થાત તત્વજ્ઞ. તાવ, શરીરથી પર હોય છે, છતાં મૂળ પુરૂષો તેમને શરીર ધારક જાણે છે, શ્રી ગીતાજીમાં કહેલ છે કે ” ___अबजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् ॥ અર્થ-મૂઢ પ્રાણીઓ અને મનુષ્યદેહને આશ્રિત જાણે છે. શ્વેતાશ્વતરે પનિષદની અતિ ભગવતિમાં પણ શુદ્ધ સ્વરૂપ માટે કહેલ છે કે – अपाणिपादो जवनो ग्रहीता पश्यत्यचक्षुः सशृणोत्यकर्णः । स वेत्ति वेद्यं न च तस्याति वेत्ता तमाहुरग्र्यं पुरुषं महान्तम् ॥ અર્થ–હાથ પગ વિના ગ્રહણ કરે છે અને ચાલે છે. ચક્ષુ વગર જૂએ છે, કાન વગર સાંભળે છે, તે જાણવાયોગ્ય જાણે છે. તેને કહેનાર નથી, તેને અય મહાન્ત પુરૂષ કહે છે. શ્રી રામચંદ્રજીએ કૈશલ્યા માતાને વિરાટું સ્વરૂપ બતાવ્યું અને અર્થ એ છે કે આ પિંડમાં સર્વ રચના છે. બહાર જોવા ગયે કદિ પણ ત્યાં પહોંચાતું નથી, પણ અંત ર્દષ્ટિએ ગાદિદ્વારા આ દેહમાં જ આત્મશક્તિ વડે સકલ રચના જોઈ શકાય છે કે જે રચના શ્રીરામે માતા કૈશલ્યાને તથા કાગ ભુશુંડિને બતાવી હતી તથા શ્રી કૃષ્ણ અને નને બતાવી હતી.

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264