Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૪૧૨
શ્રી જૈન
. કે. હેરડ.
વિકલી ટાઇમ્સ સ્કેચ, ધી ઇલસ્ટ્રેટેડ લંડન જ્યુસ, મુંબઈ સમાચાર, ગુજરાતી, જૈન શાસન, ઇન્ડિયન રિવ્યુ, હિન્દુસ્તાન રિવ્યુ, મેડન રિવ્યુ, ગ્રેટ થેટસ, વસન્ત, સાહિત્ય, સેંટ્રલ હિંદુ કોલેજ મેગેઝીન, માસિક મનોરંજન, બુદ્ધિપ્રભા, જૈન, જૈન શ્વેતાંબર
કોન્ફરન્સ હેરે, સમાલોચક, જૈન ધર્મ પ્રકાશ, જેન ગેઝેટ, ટીચર ઇત્યાદી. કસરત,
ટેનીસ રમવા માટે ટેનીસ કોર્ટ આ સંસ્થાના કમ્પાઉન્ડમાં આશરે રૂ. ૮૦૦ની ખર્ચ કરવામાં આવ્યો છે, જેનો લાભ વિદ્યાર્થી તરફથી લેવામાં આવે છે. ધાર્મિક શિક્ષણ,
આ સંસ્થામાં રહેલા વિદ્યાર્થીમાં તાંબર જૈનનું ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે. ધાર્મિક શિક્ષણ માટે વિદ્યાર્થીઓના બે ભાગ પાડવામાં આવ્યા છે. સીનીયર (અગ્ર) વર્ગ અને જુનીઅર (પ્રાથમિક) વર્ગ કે જેમાંના દરેકને અઠવાડીઆમાં બે દિવસ અરધે અરધા કલાક તે શિક્ષણ મળે છે. ધાર્મિક શિક્ષણને વખત માત્ર અરધો કલાક હોવાથી અઠવાડીઆમાં દરેક વિદ્યાર્થીને માત્ર એક કલાક ધાર્મિક શિક્ષણ મળે છે. ધાર્મિક શિક્ષણ માટે ધાર્મિક જ્ઞાન જેને વિશેષ સારી રીતે હોય તેવા ધાર્મિક શિક્ષકની ગોઠવણ કરવામાં આવી નથી, પરંતુ સુપ્રિન્ટેન્ડેન્ટ તેવા ધાર્મિક શિક્ષકની ગરજ સારે યા ન સારે તે પણ તેથી કામ ચલાવી લેવામાં આવે છે. દર વર્ષે ધાર્મિક પરીક્ષા બહારના ગૃહસ્થ પાસે લેવામાં આવે છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બીલકુલ બેસતા નથી, કેટલાક નાપાસ થાય છે. જ્યારે કેટલાક પાસ થાય છે તેને ઇનામ પણ યોગ્યતાના ધોરણે આપવામાં આવે છે. દેરાસર,
વિદ્યાર્થીઓને માટે આ સંસ્થામાં એક દેરાસરની પણ સગવડતા કરવામાં આવી છે કે જેને લાભ માત્ર વિદ્યાથીઓ નહિ પરંતુ બહારના મારવાડી તથા અન્ય સ્ત્રી પુરુષે લે છે. વિદ્યાર્થીઓના કહેવા મુજબ બહારનાં સ્ત્રી પુરૂષો આવવાથી તેઓના અભ્યાસમાં ખલ થાય છે. આ સંસ્થા કે જે માત્ર વિદ્યાર્થીઓની સગવડ માટે ઉઘાડવામાં આવી છે અને જ્યાં વિદ્યાર્થીઓને બ્રહ્મચર્યવ્રત પાળી વિદ્યાભ્યાસ સતત રીતે કરવાનું છે તેવી સંસ્થામાં સ્ત્રીઓ આવે એ ઇચ્છવાજોગ છે કે કેમ તે એક પ્રશ્ન છે. મારવાડી વગેરે બીજા જેને હેસ્ટલના મકાનમાં નહાતા હોવાથી વિદ્યાર્થીઓને ઘણી જાતની અગવડ ખમવી પડે છે એમ વિઘાર્થીઓને અનુભવ છે. સ્કોલરશિપ
આ સંસ્થાને અને નીચે પ્રમાણે જૂદી જુદી સ્કોલરશિપ જૂદા જૂદા ગૃહસ્થ તરફથી આપવામાં આવે છે.
સને ૧૯૧૩ થી શેઠ મણિભાઈ ગોકળભાઈ તરફથી ગરીબ વિદ્યાર્થી માટે માસિક રૂ. ૩૫)
સને ૧૯૧૩ થી ૧૯૧૬ સુધી શેઠ ગુલાબચંદ દેવચંદ તરફથી ગરીબ વિદ્યાથી માટે માસિક રૂ. ૧૦)