Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૯૦
શ્રી જેન વે. . હેરૅલ્ડ.
ણાય છે–તત્વને નિર્ણય થાય છે તે બાધ એટલે વિપરીત અર્થનું સ્થાપન કરનારી પ્રમાણપ્રવૃત્તિ
વિવેચન–પ્રમાણનું સ્વપરાભાસી એ ફાદથી જે લક્ષણ બાંધ્યું છે, તેથી જ્ઞાનવાદી બૈધ્ધ (યોગાચારો) ના મતને નિરાસ થાય છે-ટકી શકતો નથી. તેઓ જ્ઞાન સિવાયની બીજી-પર વસ્તુ સ્વીકારતા ન હોવાથી એમ કહે છે કે જ્ઞાન સ્વાભાસી જ છે. વળી આ લક્ષણથી મિમાંસક અને નિયાયિક કે જે જ્ઞાન પરાભાસીજ છે તેને પણ નિરાસ થાય છે.
આ બંને મત અયુક્ત છે. જેને એમ માને છે કે જ્ઞાન પિતાને પ્રકાશનાર છે તેથી જ તે બીજી પર–બાહ્ય વસ્તુનું ગ્રહણ કરી શકે છે. તેમની આ માન્યતા આ પ્રમાણે છે કે દીવો જેમ પિતાને પ્રકાશે છે, એટલું જ નહિ, પણ બીજાને પણ પ્રકાશે છે, તેવી જ રીતે જ્ઞાન પિતાને પ્રકાશે છે એટલું જ નહિ, પરંતુ સાથે સાથે તેથી બહાર રહેલી વસ્તુને પણ પ્રકાશે છે; કારણકે ય ર - જાણવા ગ્ય પદાર્થ, તેના અર્થને અભાવ થાય તે તે જ્ઞાનના અભાવને લઈને જ છે. જ્યારે જ્ઞાન પરાભાસી છે એટલે બીજા પદાર્થને પ્રકાશ કરનારું (મીમાંસક તૈયાયિકે.) સ્વીકાર્યું છે છતાં તેને સ્વપ્રકાશને અભાવ છે એમ કહેવું અસંબદ્ધ-સંબંધ વગરનું દે કારણ કે સ્વપ્રકાશના અભાવને લઈને જ પર પ્રકાશને અભાવ થાય છે.
જેમની દષ્ટિ અંધકારથી ઢંકાયેલી છે, તેઓ અસત્ય ચિત્રો જેવા કે બે ચંદ્ર આદિ વારવાર જુએ છે. જ્યારે માણસો વિતંડાવાદ So hism થી ગુંચવાઈ જાય છે ત્યારે તેઓ એવું માનતા જોવામાં આવે છે કે દરેક વસ્તુ પાણિક અથવા ક્ષણિક જેવી છે. આ બધું મિથ્યા જ્ઞાન છે, તે તેને અને પ્રમાણ ( તાન ) ને જુદા પાડી ઓળખાવવા માટે બાધવિવર્જિત” એ બીજું લક્ષણ મૂકયું છે.
પ્રમાણ અત્ર બે પ્રકારનું દર્શાવ્યું છે..તુ અને પક્ષ. પક્ષમાં અનુમાન અને શબ્દ પ્રમાણને અંતર્ભાવ થાય છે. આવી રીતે પાડેલા બે પ્રકારથી એકજ પત્યક્ષ પ્રમાણને માનનારા ચાર્વાક દર્શનને નિરાસ થાય છે, કારણ કે પ્રત્યક્ષ એ પ્રમાણ છે એવું પક્ષની સહાય વગર સિદ્ધ થતું નથી; તેમ જ સાગત ( ધે ) પ્રમાણના બે ભેદ પ્રત્યક્ષ અને અનુમાન એમ પાડી શબ્દ પ્રમાણે ને તેમાં સમાવેશ કરતા નથી તેથી તેના તે મતને પણ નિરાસ થાય છે. - પ્રત્યક્ષની વ્યુત્પત્તિ કરતાં પ્રતિ–પ્રતિગત અને અક્ષ એમ થાય છે. હવે અક્ષના બે અર્થ થાય છે, તેથી તે અર્થ પ્રમાણે પ્રત્યક્ષના પણ બે પ્રકાર પડે છે. (૧) સિદ્ધાંતમાં પ્રસિદ્ધ એવું પારમાર્થિક પ્રત્યક્ષ. આમાં અક્ષનો અર્થ વપર્યાય થાય છે એટલે જે જીવપર્યાયમાં આત્મસ્વરૂપ-ચિંતનમાં છે તે એટલે સર્વજ્ઞનુ વપજ્ઞાન તે પ્રત્યક્ષ છે. (૨) લોકમાં પ્રસિદ્ધ એવું સામાન્ય અથવા વ્યાવહારિક પ્રત્યક્ષ. આમાં અક્ષને અર્થ ઈદ્રિય થાય છે. તેથી જે ઈદ્રિયને આશ્રયી પ્રગટે છે તે. એટલે અર્થ સારાતકારી જ્ઞાન અને પક્ષ એટલે જે અસથી પર એટલે મને વ્યાપારથી અસાક્ષાત જ્ઞાન થા છે તે.
प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः। प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम् ॥२॥