Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ન્યાવતાર–પ્રાચીન જેન ન્યાયને ગ્રંથ
૩૦૩
આ વૈધમ્મ દષ્ટાંતમાં બુદ્ધમાં રાગાદિ હોવાપણું (હેતુ) નથી એ, સંશયવાળું છે, તેથી હેતુ સંદિગ્ધ રહે છે. માટે આ દૃષ્ટાંતાભાસ સંદિગ્ધ સાધન વ્યતિરેકી થયો.
(૬) સંદિગ્ધ સાધ્ય સાધન વ્યતિરેકી કપિલ વિતરાગ નથી, (સાધ્ય) કારણ કે તેણે પિતાના શરીરનું માંસ ભુખ્યાને આપ્યું નહિ (હેતુ) જે જે વીતરાગ હોય છે તે તે ભુખ્યાને પિતાનું માંસ આપે છે જેમકે બુદ્ધ ધમ્મ દષ્ટાન્ન).
આ વૈધમ્મ દષ્ટાંતમાં બુદ્ધ વીતરાગ સાધ્યો હતો, અને ભુખ્યાને પોતાનું માંસ આપનાર હતા તે સદેહવાળું છે તેથી સંદિગ્ધ સાધ્ય સાધન વ્યતિરેકી દષ્ટાંતાભાસ થયે. - કેટલાક વૈધર્મ દષ્ટાંતાભાસના બીજા ત્રણ પ્રકાર નિરર્થક રીતે-બેટી રીતે કહે છે તે અયુક્ત છે–અવ્યતિરેક, અપ્રદર્શિત વ્યતિરેક, અવિપરીત વ્યતિરેક.
(1 અતિરેક–આ પુરૂષ અવીતરાગ રે (સાધ્ય) કારણ કે તે વક્તા છે (હેતુ) જે જે વીતરાગ છે તે વક્તા નથી જેમકે પાયા, બંડ (વૈધમ્મ દષ્ટાંત).
આ વૈધમ્મ દષ્ટાંતમાં જે કે પાષાણુખંડ પથરનો કટકો) વીતરાગ અને અવતા બને છે, તાપણ વીતરાગત અને અવક્તત્વ વચ્ચે વ્યતિરેક વ્યાપ્તિ નથી, તેથી અતિરેક.
(૨) અપ્રદર્શિત વ્યતિરેક એટલે જેમાં વ્યતિરેક વ્યાપ્તિ પ્રગટ કરવામાં આવી નથી તે–શબ્દ અનિત્ય છે (સાધ્ય) કારણ કે તે કૃતક છે (હેતુ) આકારની પેઠે (દાંત)..
આ દૃષ્ટાંતમાં કૃતકત્વ અને નિત્યત્વ વચ્ચે વ્યતિરેક વ્યાપ્તિ છે છતાં તે યોગ્ય રીતે એટલે “. જે કૃતક છે તેને નિત્ય છે આકાશવત” એવા સ્વરૂપમાં પ્રદર્શિત કરવામાં આવી નથી તેથી અપ્રદર્શિતવ્યતિરેક એ નામની દુ -–દષ્ટાંતાભાસતા થઈ.
(૩) વિપરીત વ્યતિરેક એટલે જેમાં વનરક વ્યાપ્તિ વિપરીત રીતે હોય તે. શબ્દ અનિત્ય છે. (સાધ્ય) કારણ કે તે કૃતક છે (કે જે નિત્ય છે તે અકૃતક છે. આકાની પેઠે વૈધમ્મ દૃષ્ટાંત).
આ વૈધમ્ય દૃષ્ટાંતમાં દૃષ્ટાંત વિપરીત ? ને મુકવામાં આવેલ છે કારણ કે યુકત રીતે . “જે જે અમૃતક છે તે નિત્ય છે. આકાફાવતૂ' એમ મૂકવું જોઈતું હતું, તેથી વિપરીત વ્યતિરેક, - वायुक्त साधने प्रोक्तदोषाणामुद भावनम् ।
दूषणं निरवद्ये तु दूषणाभासनामकम् ॥ २६ ॥ – ૯ પરોક્ત દેને વાદી જ્યારે સાધન– દલીલ કહી રહ્યા હોય ત્યારે તેની પાસે પ્રકાશિત કરવા તેનું નામ દૂષણ (refutation છે; પરંતુ તે દેશે ખરી રીતે નિરવધ (દોષ વગરના) હોય છતાં દોષ તરીકે કહેવા તે તે દૂષણભાસ છે.
વાદમાં પ્રતિપક્ષીના દલીલો સામી પોતાની દલીલો સરસ રીતે વાદીએ રજુ કરેલી છે. એટલે દૂષણ બતાવ્યું છે એ ત્યારે જ કહેવાય કે જયારે તે પ્રતિપક્ષીની દલીલોમાં ઉપર કહેલા દે (હે ભાસ, દૃષ્ટાંતાભાસ વગેરે) તરતજ પકડી લઈ તેને બતાવી શકે. પરંતુ પતિપક્ષીએ ખરી રીતે દોષો કર્યા ન હોય, છતાં તે દેષ છે એમ રજુ કરાય છે તે . દૂષણભાસ છે.