Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૩૦
શ્રી જૈન
. કૅ.
અડ.
ભાગવી, જહેનાથી દરરોજ તેમ કરવાનું ન બની શકે તેમણે દર મહિને કે છ મહિને અને તે પણ ન બને તે દર વર્ષે એક વાર તે વૈરવિરોધની ક્ષમા લેવી-દેવી. જે આ દેવું વર્ષમાં એક વાર પણ ન ચૂકવવામાં આવે તે ક્રમે ક્રમે ચક્રવતી વ્યાજની પેઠે કરજ વધતું જાય અને માણસ પાપના બેજા એટલો બધે દબાઈ જાય કે માથું ઉંચું કરવું મુશ્કેલ થઈ પડે. એટલાજ કારણથી સંવત્સર તક્રમણની યોજના કરવામાં આવી છે; એ જ કારણથી આપણે દરેક જૈન ભાઈઓ છે, બીજાના ઘેર જઈ “ખમત ખામણે ' કરી આવીએ છીએ અને ગામેગામ આ સંબંધીઓને “ક્ષમાપના પો” લખીએ છીએ.
પરંતુ આજકાલ આપણાં સંવત્સરી પ્રતિક્રમ અને ખમતખામણાં ઘણે ભાગે દેખાવા માત્ર રહ્યો છે. આપણે પ્રતિક્રમણના પાઠ બેલી જ છીએ પણ એ પાઠમાં ચોરાશી લાખ જીવયોનિ સાથેના વૈરવિરોધ છોડવાનું જે બેલીએ છીએ તે વચન પાળતા નથી. મિત્રો અને સગાંઓને “ખમાવવા જઈએ છી જેમની સાથે લડ્યા હોઈએ હેમને ખમાવવા નું આપણને સૂઝતું નથી ! ત્યારે પછી વાનની આજ્ઞા પાળનારા આપણે શી રીતે કહેવાઈએ ? શું દિવસે દિવસે વૈરવિરોધ તે પાપબંધનને બજે આપણે માથે વધતે જવાથી આપણું કલ્યાણ સાધી શકે ? એક તરફથી ભગવાનનું નામ જપીએ અને બીજી તરફથી એમની મુખ્ય આ ભંગ કરીએ તે શું એ ભક્તિ સાચી ઠરશે?
અને હેમાં પણ ખુદ ભગવાન કે જેએ બી જાતના વૈરવિરોધના કટ્ટા શત્રુ છે તેમના જ નામથી એટલે કે હેમના ધર્મના છે કે તીર્થના નામથી અંદર અંદર વૈરવિરોધ કરીએ અને ક્રોધ, ખટપટ, દ્વેષ, અસત્ય કે બીજાનું બુરું ચાહવાની વૃત્તિ ઈત્યાદિ અનિષ્ટ તને પુષ્ટિ આપીએ, અરે ખુદ પ્ર. ભગવાનના નામથી આવું કરીએ, તે તે કેટલું બધું ભુલ ભરેલું અને આત્મઘાતી ૫ મણય, હેને પવિત્ર સંવત્સરીના દિવસે વિચાર કરવા અમો નીચે સહી કરનારાઓ જૈન સંધને વિનંતિ કરીએ છીએ.
તીર્થ તારવાને માટે છે, નહિ ? ડુબાવવાને માટે. . ભાઈઓ, ધર્મ” એ માણસને અધોગતિમાં અટકાવવા માટે છે; તેમજ “તીર્થ એ મનુષ્યને સંસારસાગરમાંથી તરી પાર ઉતરવા - ધન છે, એથી ઉલટું, ક્રોધ, કલેષ, ટંટા, એ સર્વ મનુષ્યને ડુબાવનારાં તરે છે. તે , શું ધર્મ કે તીર્થ નિમિત્તે કલેશ અને વૈરવિરોધ થઇ જ શકે? “ધર્મ-અને ખારીને પવિત્ર જૈન ધર્મ–તે કહે છે કે, હમારા દુશ્મનને પણ ક્ષમા આપે, માથું કામ તું પણ ભલું ચાહો ! અને તીર્થ” કહે છે કે, મહને માનનારા હમે બધા એકત્ર થઇ તેનું બળ જમાવી એ બળ વડે સંસારને તરવાનો પૂલ બનાવો.
તેને બદલે આપણે તો, એકતાનું જે છે બળ રહેવા પામ્યું છે તે પણ “ તીર્થ ” નિમિત્તેજ તેડવા તૈયાર થઈએ છીએ, આખી દુનિયામાં બધા મળીને હવે માત્ર તેર લાખ જ જૈન રહેવા પામ્યા છે હેમાં સંપ કરીને અંદર અંદર લડીને પરસ્પર નબળા પડીએ એ રસ્તે આપણે અંગી કરીએ છીએ. અરે ઓ મહેરબાન