Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
આત્મદશ ,
૨૮૧
નની સુગંધના સત્સગવડે કાષ્ટરૂપ અન્ય આત્માઓ પણ ચંદન-મહાભાઓ-બુને જાય છે. તેને માટે એક ઉક્તિ છે કે – किं तेन हेमगिरिणा रजताद्रिणा वा यत्राश्रिताश्च सरवस्तरवस्त एव ।' मन्यामहे मलयमेव यदाश्रयेण ककोल निम्बकुटजा अपि चंदनाः स्युः॥
અર્થ-તે સેના અગર ચાંદીના પર્વતવડે શું? કારણ કે એમના આશ્રયે રહેલાં વૃક્ષે સદા વૃક્ષ જ રહે છે. અમે તો મલયાલને માનીએ છીએ કે જેના આશ્રયવડે કાકાલ, નીમ, કુટર પણ ચંદન બની રહે છે. '
કહેવાનો આશય એ છે કે પરમ પુરૂષ વૃત્તિવાળાના સમાગમે સર્વ તેવાજ થાય છે, માટે બીજ ગમે તેવા હોય પણ દૈતભાવવાળા સોનારૂપાના પહાડરૂપ પુરૂષના જ્ઞાનવડે તે કાઇના કાક અહંમમત્વરૂપી જીવન જીવે રહે છે પણ પરમ પુરુષરૂ૫ થતો નથી. અદ્વિતીય પુરૂષના ઉપદેશવડે સર્વ પ્રાણુઓમાં સમાનદષ્ટિ થાય છે. એજ આશયને ઉપદેશ શ્રી બ્રહ્માંડ પુરાણમાં રામજી અને વસિક વચ્ચે ગાવેલ છે. કહ્યું છે કે
यथानेकेषु कुंभेषु रविरेकोऽपि दृश्यत । तथा सर्वेषु भूतेषु चिंतनीयोस्म्यहं सदा ॥
અર્થ–જેમ અનેક ઘડાઓમાં એક મુર્ય ચળકત જણાય છે તેમ સર્વ પ્રાણીઓમાં મને-શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને-વિચારવું જોઈએ.
રામાયણ, આત્મવિદ્યાના વિષયથી ભરપુર છે. અને તેમાં અવિદ્યાના કાર્યરૂપ દૂષણ તથા ખનું પણ વર્ણન છે. પરંતુ મુખ્ય મુદે તેમાં અધ્યાત્મ વિદ્યાને હોઇ તે અદૂષણ તથા સામલ ગણાય છે. કહ્યું છે કે
नमस्तस्मै कृता येन पुण्या रामायणा कथा । सदूषणाऽपि निर्दोषा सखरापि सकामला ॥
અર્થ-સસંગના પ્રતાપવડે હલકી સ્થિતિમાંથી ઉચી સ્થિતિને પામેલા વાલ્મીકિ ઋષિ, કે જેમનાવડે પુણ્યવંત રામાયણ કથા કરાયેલી છે તેમને નમસ્કાર. ખર એટલે અમળ સહિત છતાં, સકોમલ છે અને દુષણ સહિત છતાં અદૂષણ છે.
પરમ સાક્ષાત્કાર જેમને થએલે છે એ યાને દેહ તે અયોધ્યાપુરી છે, અને તેમાં જે બ્રહ્મવિદ્યા-આત્મવિદ્યા છે, તે કલિ કલેશ માડનારી સરયૂ નદી છે. વળી તે અયોધ્યાપુરી રૂપ દેહમાં વિદ્યાદિ નારીઓ તથા યોગ, પાદિ, પુરૂષો રહે છે, કે જેમના ઉપર સાક્ષાત્કારવંત પુરૂષની ઘણું પ્રીતિ છે, અયો. મામથુરાં, માયા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારિકા, એ સાત પુરીઓ એકજ દેહમાં ઘટોતાં, અયોધ્યા એ અજરામર ચક્ર છે કારણ કે તેને વિષ્ણુ-વિરાટ-નાં મસ્તકમાં કહેલી છે. સાત પુરીએઃ
अयोध्या मथुरा माया काशी कांची अवन्तिका । पुरी द्वारावती या सप्तैता मोक्षदायकः ॥ स्पष्टर्थः ॥ સાતે પુરીઓને દેહ પરત્વે-વિરાટનાં-પ. તાં–