Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
આત્મઘાત–એક બહેન પ્રત્યે પત્ર
૨૫૭
vvvvv
મૂકવામાં આવ્યું છે. મારી ત્રિકરણ શુદ્ધિથી આપવાની છે, પરંતુ તે ત્રિકરણ શુદ્ધિમાં મન ગુદ્ધિની પ્રથમ જરૂર છે અને તેથી જ હેરલ્ડમાં આવેલું માફીનું કાવ્ય તમને વધુ ગયું છે. હવે શરીર પ્રવૃત્તિથી થયેલા પાપમાં મનની પ્રવૃત્તિ આવી જગઈ, અને તેથી બંને પ્રવૃત્તિથી થયેલા પાપકરતાં એકજ પ્રવૃત્તિથી થયેલું પાપ ઓછું નિબિડ છે એ સ્પષ્ટ છે.
“ આત્મા જે સાધન વડે વિચાર ચિંતનાદિ કાર્ય કરે છે, તેનું નામ મન છે અને તે મન જડ છે. જૈન સિદ્ધાંતમાં તેને મનાવણું અને કેટલાક સ્થળે તે “ઇન્દ્રિય સજ્ઞાથી ઓળખવામાં આવેલ છે. પાશ્ચાત્ય દેશોમાં પણ હવે સ્વીકારાવા લાગ્યું છે કે વિચારને અમુક અમુક આકાર (thought form– ઈંટ ફર્મ) અને તે સાથે અમુક રંગ યુક્ત વર્ણન પણ હોય છે (aura). “આ રંગ યુક્ત વર્ણન ને જેન દર્શનમાં “લેશ્યા” શબ્દથી સંબોધવામાં આવે છે. આ મને વ્યની ઉત્તમતા કે અધમતા ઉપરથી તેમજ તે લેસ્યાના કૃષ્ણ-કાપિતાદિ અને પદ્મ શુકલ દ રંગ ઉપરથી આત્માના ઉન્નતિ ક્રમના સ્થાનને નિણય મહાપુરૂષો બાંધે છે.
મનઃ શુદ્ધિપર પૃ. ૧૨ થી પૃ. ૧૫ બધીમાં મારા સામાયિકસૂત્રના પુસ્તકમાં જે જણવેલું છે તે ફરિ વાંચી જવા વિનતિ કરૂં ..
મન વચન કાયાના વ્યાપારને જૈનશાસ્ત્રમાં યોગ કહેવામાં આવે છે, આ વેગનું વિવિધપણું છે (૧) શુભપગ (૨) અશુભપયોગ. મન-વચન અને શરીરના શુભ વ્યાપાર અર્થાત ધર્મચિંતન, પરહિત કાર્ય આદિ ઉત્તમ પ્રવૃત્તિ એ શુભપયોગ છે, અને તેથી વિ દ્ધ પ્રવૃત્તિ એ અશુભપગ છે. (આભા અનાત્માને વિવેક કર્યા પછી તે પ્રમાણે પ્રવૃત્તિ તે શુધપયોગ છે) તેવા વિવેક થયા વિનાની ગમે તેવી શુભાશુભગ પ્રવૃત્તિ એ ઘાતકર્મના બંધરૂપજ હોય છે, અને અઘાતી કર્મમાં શુભપગ વડે શાતા વેદનીયની આદિ પુણ્ય પ્રકૃતિ અને અશુભપયોગ થશાતા વેદનીયની પા૫ પ્રકૃતિનું ઉપાર્જન થાય છે. શુભ અને અશુભની જ્યાં મિશ્ર યોગ પ્રવૃત્તિ હોય ત્યાં કેટલાક પુદગલ અંશ પુણ્ય અ. કેટલાક પાપ પ્રકૃતિ રૂપ પરિણમે છે. જે મહાભાગ પુરૂષોને આત્મા–અનાત્માની ખ્ય તિ વર્તે છે–શુદ્ધ પગ વર્તે છે તેમને ઘાતી કર્મનું ઉપાર્જન બહુ જૂન હદ સંભવે છે. એક વિદ્વાન કહે છે કે –
શરીરાદિ બાહ્ય સામગ્રી અથવા ધન કુટુંબાદિ વિભાવ, બંધનું કારણ હોઈ શક્તા નથી; જે બાહ્ય સામગ્રી બંધની નિયામક હોય તો આત્મા કદી સંસાર વિમુકત થઈ શકે ન, પરંતુ સદભાગ્યે તેમ નથી. બંધ નિયામક તે તે સામગ્રીમાં રહેલી મમત્વ ભાવના જ છે. અત્રે શંકા થવા યોગ્ય છે કે આ બાહ્ય સામગ્રી બંધના કારણરૂપ નહોય તો શાસ્ત્રોએ તે ત્યજવાને ઉપદેશ શા માટે આપ્યો હશે? સ્ત્રી, દ્રવ્ય, પુત્ર વગેરે નર્કમાં લઇ જનાર છે, અનર્થ માત્રનું મૂળ આ પ્રપંચ છે અને તેમાં સ્ત્રીને તે અધોગતિના રાજમાર્ગ તરીકે બધાજ શાસ્ત્રકારોએ એકી અવાજે જાહેર કરી છે, તે શું તે મિયા સમજવું ? વિવેક દષ્ટિથી નિરીક્ષણ કરતાં શાસ્ત્રકારોએ આ બધ આપવામાં કેવળ ભૂલ કરી છે, એમ માન્યા સિવાય ચાલતું નથી. અને તેમાં સ્ત્રીવર્ગને જગતની બત્રીશીએ ચાવવામાં તે પુરૂષોએ જે ભાગ ભજવ્યો છે તે ખરેખર આર્ય દર્શનનું મોટામાં મોટું કમનસીબ છે. તેમણે પાડાના દેષ માં બાલીને ડામ દેવા જેવી હાસ્યજનક, પ્રવૃત્તિ