Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
અન્યધમમાં જૈનધર્મને ઉલ્લેખ
૧૯.
જિનેશ્વરે મેળવેલી હોવાથી શ્રી રામચંદ્રજી જેવા સુરાસુરપૂજનિક મહાત્મા પણ એ અપૂર્વ આભશાન્તિની ઇચ્છા કરે એ દેખીતું જ છે. શ્રી યોગવાસિષ્ઠમાં સરળ, સીધી અને બહુધા પક્ષાપક્ષી વગરની વાત જ છે.
શ્રી મહાભારતનામક ઐતિહાસિક ગ્રંથને રચાયાં આજે વૈદિક ગણના પ્રમાણે પાંચ હજાર ઉપરાંત વર્ષો થઈ ગયા છે. આ ગ્રંથ મહાપુરૂષ શ્રી વેદવ્યાસે ( કૃષ્ણ દ્વૈપાયને ) રચેલે છે. આ લેખ ઉપરથી શ્રી કૃષ્ણ ભગવાનના સમયમાં પણ જૈન ધર્મ પ્રચલિત હતા એમ વેદાનું યાયી શ્રી મહાભારત ઉપરથી સાબિત થાય છે. શ્રી મહાભારતમાં બીજે સ્થળે પણ ઉલ્લેખે છે.
સર્વ દર્શન સંગ્રહ–આ પુસ્તકમાં મણિશંકર હરગેવિંદ ભદ, બી. એ. એ ઉપદૂઘાત કરેલ છે તેમાં તેઓ લખે છે કે –“ભારત વર્ષીય સર્વ ધર્મોના મુખ્ય બે વર્ગ થઈ શકે છે–એક આસ્તિક અથવા તેને માનનારાઓને; અને બીજે નાસ્તિક અથવા વેદને નહિ માનનારાઓને. નાસ્તિક મા મે માં ચાર્વાક બૌદ્ધ અને જૈન એઓને સમાવેશ થાય છે. આસ્તિક માર્ગોના પણ બે ભાગ છે. દર્શન ધર્મ અને પુરાણધર્મ. xxx » જૈનના બે વર્ગ છે શ્વેતાંબર અને દિગંબર.
આહતદર્શનના ભાષાંતરમાં લખે છે કે “ આ પ્રકારનું મુકતકચ્છનું મત નહિ કરનારા દિગંબરે ગમે તે પ્રકારે સ્થાયિત્વને આધાર લઈને ક્ષણિક પક્ષને પ્રતિક્ષેપ કરે છે. જે કદાપિ આત્માઓ સ્થાયિ છે એમ ન ગ્રહણ કરીએ તે લૌકિક ફલના સાધન સંપાદન કરવાનું કામ પણ ફલ રહિત થા. < xxx એ લક્ષણયુક્ત ક્ષણિકતા પરીક્ષક આહેતને ગ્રહણ કરવા યોગ્ય નથી. XXX . બા આહત મત પ્રમાણુ દષ્ટિથી જોનારને નિંધ છે; કારણ કે એકજ પરમાર્થ સત્ વ - સત્વ અસત્ત્વાદિ ધર્મવાળાં અનેક પરમાર્થ સતને સાથે સમાવેશ સંભવ નથી.
શ્રીમદ્ મુક્ત (મુક્તિ) સૂઆ ૭૪૭ પૃષ્ટને ગ્રંથ કાલિદાસ પંડિત ચિકલીકરે રચેલો છે તેમાં જૈન ધર્મ માટે આ પ્રમાણે લખ્યું છે – આ ધર્મને પ્રચાર સુમારે ૨૪૦૦ વર્ષ પર હિંદુસ્તાન, ચીન, ટીબેટ, લંકા, વગેરેમાં થયો હતો, આપણું વેદોક્ત ધર્મના જે યજ્ઞયાગાદિક કર્મો કરવાની પદ્ધતિથી અનેક જીવોને જે વધ થતું હતું, તે વધ કરવાની રીતભાત ઉપરથી આ પવિત્ર વેક્ત ધર્મને હિંસક ધર્મ વા નાસ્તિક ધર્મનું વિશેષણ આપ્યું હતું. જે ઉપરથી સર્વ પ્રજાએ વેદોક્ત ધર્મને છોડી દીધું હતું, ને તમામ પ્રજા એ ધર્મમાં દાખલ થઈ ગઇ. જેથી એ ધર્મે દયા, સત્ય, શુદ્ધભાવ, તપ વગેરેને પ્રચાર વધારી દીધો. એમાં જીવે અદ્ધિ, આકાશ, કાળ, સ્વર્ગ ને મેક્ષ એવાં છ તત્વ માન્યાં છે. એમાં સ્ત્રી પુરૂષ બેઉને મેક્ષ થાય છે. x x x જીવની શક્તિ એવી છે કે, એ જ્યારે પિતાના તેજોમય રૂપને ઓળખે ત્યારે એ મોટા પદને પામી શકે છે. તેથી એણે પિતાનું જ ધ્યાન કરવું. XX x : ને પંચભૂતને સંબંધ સ્થાયી છે. x x x આ પંચ મહાભૂત એ છવના અજ્ઞાનને દેખાય છે. એ ચૈતન્ય હોવાથી એની શક્તિએ જગત ઉત્પન્ન કર્યું છે. જીવ જ્યારે પોતાના નિરૂપને જાણે છે ત્યારે પિતાની મેળે જ નિરંજન નિરાકાર થઈ જાય છે. x x x આ જગા - સર્વ આકારો જીવનાં સ્વરૂપ છે. આ સૃષ્ટિને ઉત્પતિક્રમ પંચભૂતના ફેરફારથી બને છે. આ સુષ્ટિ પ્રારંભકાળમાં જળરૂપ હતી. પાછળથી