Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
સત્યા પ્રહ-એક સંવાદ.
૨૦૭
ગચ્છના. અને ખરતર વાળાએ તપગચ્છના શિલાલેખે ભુંસાવ્યા હતા, તે બધે આવા જ પ્રકારને મમત્વ ભાવ. એથી દરેક વ્યકિતને પાછળથી ઘણું ઘણું સોસવું પડયું હતું અને અત્યારે પણ તે આપણને સોસાવે છે, પણ ધીરજ રાખ, ભસ્મ રાશિ ગ્રહ ઊતર્યો છે જેથી તારા સંપ્રદાયના કલ્યાણને વખત નજીક આવ્યો હોય એવું ભાસ દષ્ટિમાં આવે છે. જે! તારા સેંકડે વાડાનું ત્રણ વાડામાં બંધારણું આવી ચુક્યું છે. અધિષ્ટાતા કોન્ફરન્સ દેવી, એ ત્રણે વાડામાં વારા ફરતી વિચરે છે. અધિષ્ઠાતા દેવીના ઉત્સાહી ઉપાસકો તનમન અને ધનના અનહદ ભોગેથી તેની સેવા બજાવ્યે જાય છે તે તારા મનોરથ ફળીભૂત
થાશે એમાં સંશય રાખીરા નહીં. સત્યાગ્રહ–માતુશ્રી ! એ ત્રણે ફીરકાના સરળ સાક્ષર તે કુલ સંપ્રદાયને નહીં પણ આખી
જગતને એક રૂપે નીહાસ છે. આખા જગતનું ભલું કરવાના વિચારો ધરાવે છે પણ કેટલાક નિરક્ષર દાયો, કેટલાક નિરક્ષર ગેવાળે અને કેટલાક નિરક્ષર ઘેટાઓ સામ શીંગડાં ભરાવી પિતાના મમત્વ ભાવને જ વધાર્યું જ જાય છે. ધર્મ એ શું ચીજ છે તેનું ભાન નથી. વાડા અને કુસંપ વધારે એ તેમનું લકત બિંદુ છે. ધર્મના બહાને અવળે રહેતે લાખો રૂા. ની બરબાદી કરી નામના વધારવી એ તેમને મૂળ હેતુ છે. પોપટ પ્રમાણે કાંઈ પણ હેતુ સમજ્યા વગર ગુષ્ક ક્રિયાકાંડમાંજ ઉદ્ધાર છે એજ તેમનો ધાર્મિક સિદ્ધાંત છે. વગર મા રે પાંજરાપોળમાં પશુઓને ગંધી રાખવા એ તેમને દયા ધર્મ છે. ટંકના જમણવારમાં હજારે રૂા. ઉડાડવા એ તેમનું સ્વામિવાત્સલ્ય છે. મંડ, બચે ઊજમણુંઓ ઊજવવાં એ તેમનું જ્ઞાન દાન છે, આડંબર અને પક્ષવાળા હેટા ખર્ચે વરડા ચડાવવા એ તેમના મતે શાસનની શોભા છે, અને એવા બીજા અનેક પ્રકારના મમત્વ ભાવે તેમનાં હૃદય એવાં કઠોર બનતા છે કે કુસંપ અને વાડા વધવાથી સમાજનું સત્યાનાશ વાળે છે છતાં તેમાં તેઓ પાપ માનતા નથી. ધર્મના બહાને હજારો રૂા. ઉડાડનાર, અધર્મથી નાણું મેળવવામાં પાપ માનતા નથી. પોપટીઆ જ્ઞાનીઓ ધર્મ બહાને છે , વેર ઝેર વધારવામાં પાપ માનતા નથી. પાંજરા પિળમાં ગેધનારા યાતો રક્ષણ કરનારા પોતાના કે પિતાના જાતભાઈઓને વેચવામાં વેચાવવામાં કે ખરીદ કરી ફાંસીને લાકડે લટકાવવામાં પાપ માનતા નથી. વ્યાખ્યાનમાં હાર: હા કરનારા, પ્રભુ પાસે નાચનારા અને તીર્થયાત્રાએમાં ફરનારા સે એ વરસના બુદ્દાઓ પિતાની વિષય વૃત્તિને કાબુમાં રાખી શકતા નથી અને પૈસાના તેરમાં બાર વરસની બાળકીને કારાગ્રહ નાંખવા જરા પણ પાછી પાની કરતા નથી અગર તે એવાઓને કોઈ અટકાવવા પણ પ્રયત્ન કરતા નથી જેથી ત્રણ બાળાને બગડેલ ભવ આપણે નજરે નજર. જોઈએ છીએ પણ તેમાં પાપ માનતા નથી. એક ટૂંકમા હજારો રૂા. ઉડાડી જમાડનારા પિતાના નિરાશ્રીત ધર્મ બધુઓને ધકકો મારવામાં પાપ માનતા નથી. ઊજમણું ઊજવનારાઓ જ્ઞાન ગ્રંથને ઊધઈથી ભોગ થએલો જોવામાં પાપ માનતા નથી, હેટા વરઘોડા કહાડી શાસનની શોભા વધારનારા પિતાના