________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - * જેમણે પૂર્વે છપાવી હોય તેમની પાસેથી લઈ લેવી...કામ પૂર્ણ થયે પરત કરવી... * જિનાલય-ઉપાશ્રયમાં મુકેલી ચોપડીઓ વાપરવાનો આગ્રહ રાખવો * એક ચોક્કસ કાર્યકર અથવા સંસ્થા નીમવી જ્યાંથી આવા પુસ્તકો પ્રાપ્ત થાય અને કામ પૂર્ણ થયા બાદ પરત મોકલાવી શકાય. આવું સુંદર કાર્ય હર્ષદભાઈ ભીમાણી(અમદાવાદ-નવરંગપુરા) વાળા તથા ધરણેન્દ્રભાઈ (કરુણા ટ્રસ્ટસુરત) કરી રહ્યા છે. તેમનો સંપર્ક સાધવાથી અથવા શ્રી બાબુલાલ સરેમલજી બેડાવાળા (સાબરમતી) નો સંપર્ક કરવાથી આવા અનેક પુસ્તકો પ્રાપ્ત થશે અને બિનજરૂરી છાપકામનો અંત થશે.... આ એક એવો નિયમ બનાવવા જેવો છે કે કોઈપણ સાધુભગવંતને કે શ્રાવકોને પુસ્તક છપાવવું હોય તો તેમના સમુદાયના ગચ્છાધિપતિનો પત્ર આવશ્યક છે.