________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો ચાલો ઈઝરાઈલ દેશની જેમ આપણે આગળ વધીએ... | આજે વિશ્વભર ની પ્રજામાં જૈનોએ પોતાનો સિક્કો મારવો જ પડશે. શતાબ્દિઓથી અપને ત્યાં ધાર્મિક અને સામાજિક સહયોગ-સદ્ભાવનો તદ્દન અભાવ જોવા મળે છે. ઈઝરાયેલ એક એવો દેશ છે કે પોતાના પગ ઉપર ઉભો થયો છે. વિશ્વના નકશામાં એક બિંદુ જેટલો અસ્તિત્વ ધરાવતો આ દેશ આજે વિશ્વની મહાસત્તા જેવો છે. સંઘર્ષ તેઓના વિકાસનું મૂળભૂત કારણ બની ગયું છે. આજે જૈનશાસનની પણ કંઈ આવી જ પરિસ્થિતિ છે. વિશ્વના અન્ય ધર્મો વચ્ચે નજીવા લોકોની સાથે અસ્તિત્વ ધરાવતો આપણો સંઘ પણ ઈઝરાયલ ની જેમ આગળ વધે તે ઈચ્છનીય છે. આપણે અન્ય ધર્મનો-સરકારનો ટેકો લીધા વિના જ આગળ વધવું પડશે...તો જ કઈ બચી શકીશું... અમુક મુદ્દા પર વિચાર કરીએ. (A) એકપણ જૂની એન્ટીક વસ્તુઓની ખરીદી કરવી નહિઃ હમણા થોડા સમયથી Old is Gold ના માફક આપણે ત્યાં પણ પુરાની વસ્તુઓનું ખુબ જ ધમધમતો વેપાર ચાલે છે. મૂર્તિઓ-પ્રતો આદિ આપણી મિલકતો ચોરાય અને વેચાય છે. તો ખરીદનાર પણ આપણે જ. તેથી આવા ચોર લોકોને પ્રોત્સાહન મળે છે. જિનાલયોમાં-જ્ઞાનભંડારોમાં પૈસાની લાલચે ચોરી થાય છે તેના જવાબદાર આપણે ખુદ જ. વળી એન્ટીકના નામે એન્ટીક જેવી નકલી મૂર્તિઓ-પ્રતો આવવા લાગી છે જેનાથી પણ ચેતવા જેવું છે... (B) શંખેશ્વર-પાલીતાણા તીર્થો સાથે અન્ય તીર્થોતરફ પણ શ્રાવકો યાત્રા કરેઃ મોટાભાગે જૈનોમાં શંખેશ્વર અને પાલિતાણા તરફ ધસારો જોવા મળે છે. આ તીર્થની સાથે રાજસ્થાન, ગુજરાત, કલ્યાણકભૂમિ વગેરેના તીર્થોની યાત્રાનું પણ મહત્વ વધારવા જેવું છે. (C) તીર્થોમાં પૂજારીઓ ને ટ્રેઈનીંગ આપવીઃ આપણે ત્યાં કામ કરતા પૂજારીઓ માટે ટ્રેઈનીંગ કેમ્પ ખોલવાની જરૂરત છે. તેમણે ગંજી-ચડ્ડી પહેરી પૂજા ન કરાય તે શીખવવા જેવું છે. ઉપરાંત શ્રાવકોને જય જિનેન્દ્ર કહે. તેમનો કેસરીયાજી જેવો ડ્રેસકોડ હોય મર્યાદાવાળો હોય... અને જૈન ધર્મની રુચિવાળો થાય તે માટે પ્રયત્ન આવશ્યક છે. (D) સોશીયલ મીડિયા પર લખાતી ધર્મવિરોધી વાતો પર પ્રતિબંધઃ થોડા