________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (c)6 કી (30) દરેક કાર્યના સેન્ટ્રલાઈઝેશન અંગે. પણ શાસનપ્રભાવના અને શાસનરક્ષાના ઘણા કર્યો ચાલુ છે. પરંતુ તે-તે કાર્યોના સેન્ટ્રલાઈઝેશન ના અભાવે જોઈએ તેવું રીઝલ્ટ નથી આવતું. તેનું મુખ્ય કારણ એકબીજા સાથે જોડાણની મુખ્ય કડીનો અભાવ તથા અલગ અલગ વિચારધારાઓ...જે નાના-નાના ગ્રુપો બને છે તેનું એક વિશાળ જૈન ગ્રુપ બનાવાય. જેમાં દરેક ગ્રુપો ને જોઈંટ કરવામાં આવે...ગુરુભગવંતો દ્વારા તે ગ્રુપનું સંચાલન કરવામાં આવે તો શાસનનું બહુ જ મોટું કાર્ય થઈ જાય. (A) જૈનશાસન સંસ્થાની ઓફીસઃ અમદાવાદ-મુંબઈ જેવા શહેરમાં જૈનશાસનની ચોક્કસ આણંદજી કલ્યાણજી જેવી પ્રતિનિધિ ઓફિસ હોય. જેમાં પ00-900 જૈનો સ્વયંસેવક અથવા પગાર થી કામ કરતા હોય.. કોઈને પણ શાસન અંગે કામ પડે ત્યાં જઈ શકે. તીર્થરક્ષા,દેવદ્રવ્ય વ્યવસ્થા, સાધુ-સાધ્વીજી વિહાર, ઉપકરણો આદિ બધીજ વસ્તુઓ એક જ મોટી ઓફિસના અલગ-અલગ વિભાગોમાંથી કામ થાય. પૂ. ગુરુ ભ.ના માર્ગદર્શનમાં યોજનાઓ પણ નીકળે. અલગ અલગ કાર્યો ચાલે...આવી ઓફિસ વગેરે... પ્રમુખસ્વામી ના માર્ગદર્શન માં B.A.PS. સંસ્થાની હોય છે. ટૂંક સમયમાં યોગ્ય ગાઈડલાઈન દ્વારા આ સંસ્થાએ વિશ્વભરમાં પોતાનો વ્યાપ વધાર્યો છે. (B) ફોટો અને પુસ્તકો અંગે સૌ પ્રથમ તો યંત્રો-ફોટા-પુસ્તકો વગેરે છપાવવાનું થોડા સમય માટે પણ બંધ કરવામાં આવે. પછી તે-તે વસ્તુઓનું સેન્ટ્રલાઈઝેશન યુનિટ સ્થપાય. અલગઅલગ વિભાગોમાં પ્રસ્તુત પુસ્તકો મુકવામાં આવે. પછી જોઈએ ત્યાં મોકલાવાય અથવા 3-4 જગ્યાઓ વિભાગ પ્રમાણે મુકાય...જેને જોઈએ લઈ જાય પછી પાછા આપી જાય...ઘર-ઘરમાં જ્ઞાનભંડાર બનાવાય ધાર્મિક પુસ્તોનો કબાટ જૈનના ઘરમાં હોવો જ જોઈએ.ઘર-ઘરમાં પુસ્તકો મુકાય. જરૂરત પડે ત્યારે પોતાના જ કબાટમાંથી વાપરતા થાય. 0 જે-જે ક્ષેત્રોમાં નહીંવત વિચરણ છે ત્યાં વિચરણ કરનારને પ્રોત્સાહન આપવું મેવાડમાં હજારો ગામો તેરાપંથીઓ-સ્થાનકવાસીઓ વચ્ચે સિંહ ની જેમ પૂ.આ.પદ્મભૂષણસૂરિજી મ. તથા પૂ.આ. નિપુણરત્નસૂરિજી મ. વિચરણ કરે છે.