________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - અમુક તો પૈસા લઈ આચાર્યપદ ની લ્હાણી કરે છે. આવા લોકો આગળ જતા શાસન ને કલંકિત કરે છે.ગમે તેવા ને આચાર્યપદવી આપ્યા પછી બનેલા ખરાબ કિસ્સા જૈનશાસનની સામે જ છે.એક-બે શિષ્યો બનાવી આચાર્યપદે ન પહોચાય. આચાર્ય પાસે મોટો પરિવાર હોવો જોઈએ. પાત્રતા ન હોય તેવાને આચાર્યપદવી ન જ આપવી. વળી આપ્યા પછી પણ પાછી લઈ શકાય. વિશાળ દીક્ષા પર્યાય અને પરિવાર ધરાવવા છતાં પણ પં.ભદ્રંકર વિ.મ, પં. ચંદ્રશેખર વિ. મ. પં. વિશેન વિ.મ. કે અમારા ગુરુદેવે આચાર્ય પદવી લીધી ન હતી.