________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (14) નાના સાધુ ભગવંતો ની ટીમો બને છે આ જે જૈનશાસન નું ભવિષ્ય છે, ભવિષ્યમાં આચાર્ય-ઉપાધ્યાય આદિ પદો ને શોભાવનાર છે. જૈન શાસનની ધુરા જેમણે વહન કરવાની છે તેવા સાધુ ભગવંતો જે યુવા છે, શક્તિશાળી છે,શાસનના રાગી છે.એમની ટીમો બનાવી અલગ-અલગ સકારાત્મક કાર્યોમાં જોડવા જેવા છે. આ ટીમો બધાજ સમુદાયના મુનિઓ માટે હોય. તે-તે વિષયના જાણકાર આચાર્ય ભગવંતો આ ટીમોની આગેવાની-નેતૃત્વ સંભાળે. અને બધાય સાધુ ભગવંતોને ખંડનાત્મક કાર્યોની જગ્યાએ મંડનાત્મક કાર્યોમાં જોડવામાં આવે. આ ઉપરાંત તેમની પરીક્ષા પણ લેવામાં આવે. તેમના વિષયોને અનુરુપ તેમની વાચનાઓ પણ ગોઠવાય. તેમના ક્ષયોપશમ ને અનુરૂપ શાસનની જવાબદારી પણ અપાય. મારી દષ્ટિએ આવી અલગ અલગ ટીમો બનાવી શકાય.. * શિલ્પાદિના જાણકાર મુનિભગવંતો * પ્રવચન દક્ષ (શિબિર આદિ દ્વારા યુવાનોમાં જાગૃતિ લાવે તેવા) મુનિરાજો * સંશોધન-સંપાદન કરતા મુનિભગવંતો * અધ્યયન-અધ્યાપન માં પારંગત મુનિરાજો (જેઓ પાઠશાળા માટે માર્ગદર્શન આપે) ધ્યાન-યોગના જાણકાર મુનિભગવંતો * મંત્રશાસ્ત્રમાં નિપુણ મુનિરાજ * સંગીતમાં પારંગત મુનિભગવંતો (સ્તવન આદિ રચનાઓ કરી શકે) * તીર્થરક્ષાદિ માં પારંગત મુનિરાજો (સમય આવે શ્રાવકોને આહવાન કરે) * જ્યોતિષાદિના જાણકાર મુનિભગવંતો * રાજકારણ-કાયદાના જાણકાર મુનીભગવંતો * પ્રાચીન લપિઓના જાણકાર અને આગમોના જ્ઞાતા મુનિરાજો * વિદેશીઓ -જિજ્ઞાસુઓને જવાબ આપી શકે તેવા મુનિરાજો (English ભણેલા ખાસ) * ઈતિહાસના જાણકાર મુનિરાજ આવી દરકે વિષયોની અલગ અલગ ટીમો બનાવવામાં આવે. પ્રસ્તુત ટીમમાં દરેકના વિચારોની આપ-લે થાય. સમયે સમયે આચાર્ય ભગવંતો ની નિશ્રામાં બધા