Book Title: Jain Shasanna Vicharniya Prashno
Author(s): Bhushan Shah
Publisher: Mission Jainatva Jagaran

View full book text
Previous | Next

Page 44
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો 6oi, (22) જૈન સંસ્થાઓ ની જરૂરત જેમ ઈસ્લામ પાસે વાફબોર્ડ છે..અલગ બંધારણ છે.એકતા છે. તેમ જૈનો પાસે પણ આવું હોવું જોઈએ. (A) જૈન કોર્ટ જૈનોમાં તીર્થો-ઉપાશ્રયો ના ઝગડાઓ વધતા જાય છે. આ માટે જૈનો કોર્ટે ચડે છે. વકીલો રાખી કરોડો રૂપિયા નું પાણી થાય છે છતાં કોઈ જ નિર્ણય આવતો નથી. જૈનોમાં અંદરોઅંદર ઉભા થતા પ્રશ્નો ને Solve કરવા જૈન કોર્ટ હોય. કોર્ટ માં જજ તરીકે પ્રવરસમિતિ હોય. પ્રવરસમિતિની બેચ જે નિર્ણયો આપે તે સર્વમાન્ય રાખવા. માટુંગા-ગીરધરનગર ના કેસો લડવા કોર્ટે ગયા,કરોડો હોમાઈ ગયા. છતાં કોઈ જ નિર્ણય આવ્યો નથી. ઊલ્ટી શાસન ની હિલના થઈ તે અલગ. એકવાર મારે અમદાવાદમાં ગિરધરનગર જવું હતું. મેં રીક્ષા કરી. રીક્ષવાળાને કહ્યું કે ગિરધરનગર જવું છે, દેરાસર. રીક્ષાવાળો બોલ્યો, વાણીયા ઝગડે છે ત્યાં જવું છે? સાંભળીને હું શરમાઈ ગયો. આવી સ્થિતિ થાય છે ઝગડા દ્વારા. આવા આંતરિક વિખવાદો જૈન કોર્ટ માં જ પૂર્ણ કરી દેવા જોઈએ. સરકારી કોર્ટે જવું નહિ. | (B) જૈન પુરાતત્ત્વ ખાતું જૈનોમાં ઇતિહાસ-શિલ્પ-પ્રાચીનતાના શોખીન સાધુ ભગવંતો અને શ્રાવકોનું એક પુરાતત્ત્વ ખાતું હોવું જોઈએ.જિનાલયની પ્રાચીનતા-લેખો તથા વિશેષતાઓ અંગે કામ કરે. તો પ્રાચીન પ્રતિમાજી જેવા જમીનમાંથી બહાર નીકળે તરત જ પોતાના હસ્તગત લઈ લે. આવા ઘણા કાર્યો પુરાતત્ત્વ ખાતા હસ્તક થઈ શકે છે. મારી જાણ પ્રમાણે વર્ષો પૂર્વે સિરોહીમાં આવું જૈન પુરાતત્ત્વ ખાતું હતું. દિગંબરોમાં પણ આવી સંસ્થાઓ છે. | () જૈન ધર્મ પ્રચારકોઃ વિદેશમાં અને ભારતમાં પણ જ્યાં જ્યાં સાધુ ભગવંતો વિચરણ નથી કરી શકતા. તે તે ક્ષેત્રોમાં પહુંચવા માટે શ્રાવકોની એક સંસ્થા બને જે ગુરુ ભગવંતોના માર્ગદર્શન દ્વારા ગુરુભગવંતો ની આજ્ઞામાં રહેવા દ્વારા જૈન શાસનનું પ્રચાર-પ્રસાર કરે. આ વર્ગના અમુક નિયમો ચોક્કસ હોય.તેમનો ચોક્કસ ડ્રેસકોડ હોય તેઓ જૈન ધર્મશાળા આદિમાં રોકાઈ શકે તે માટે તેમના પાસે ચોક્કસ આઈકાર્ડ હોય.તેમણે અમુક સમય ગુરુભગવંત પાસે ટ્રેનીંગ પણ લેવાની. તો સમયે સમયે ગુરુભગવંતો ની

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75